આંખોનું સિવિલ હોસ્પિટલમાં દાન કરાયું:ડીસાના નિવૃત્ત કર્મચારીના દેહદાનની અંતિમ ઈચ્છા પુત્રોએ પૂરી કરી, મેડિકલ કૉલેજને દેહ અભ્યાસ માટે અપાયો

ડીસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસાના નિવૃત્ત કર્મચારીના અવસાન બાદ તેમની અંતિમ ઈચ્છા મુજબ પરિવારે તેમનો દેહ દાન કર્યો છે. તેમનું પાર્થિવ શરીર બનાસ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપી દેવાયું છે.

ડીસાના વેલુનગર ખાતે શ્રીનગર સોસાયટીમાં પુત્રની સાથે રહેતા 84 વર્ષના ખાનાભાઈ હીરાભાઈ શ્રીમાળી પાલનપુર ખાતે બાગાયત વિભાગની ઑફિસમાં નોકરી કરતા હતા. તેઓ નિવૃત્તિ બાદ ડીસા ખાતે તેમના પુત્ર સાથે રહેતા હતા. તેમણે પોતાના મૃત્યુ બાદ પોતાના પાર્થિવ શરીરનું દેહદાન કરવા સંકલ્પ કરેલો હતો. જેથી આજે તેમનું અવસાન થતાં તેઓની ઈચ્છા અનુસાર પરિવારજનોએ બનાસ મેડિકલ કોલેજ પાલનપુર ખાતે તેમના પાર્થિવ શરીરનું દાન કર્યું હતું. જ્યારે ખાનાભાઈની આંખો પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાન કરવામાં આવી છે.

આ અંગે તેમના પુત્ર જયંતી શ્રીમાળીએ જણાવ્યું હતું કે, મારા પિતાની એવી ઈચ્છા હતી કે મૃત્યુ પછી તેમના દેહનું મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવે. આ ઉપરાંત તેમના સમગ્ર પરિવારની પણ એવી ઈચ્છા હતી. જ્યારે તેમના પુત્ર જયંતીભાઈએ પણ ત્રણ વર્ષ અગાઉ મૃત્યુ બાદ દેહદાન અંગે સંકલ્પ કરેલો છે.

અન્ય સમાચારો પણ છે...