અંબાજીમાં વરસાદી માહોલ:વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ

અંબાજી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ અંબાજીમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઊડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અંબાજીના વાતાવરણમાં પલટો જોવા મળતાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા છે. દાંતા અંબાજી સહિતના વિસ્તારોમાં પવન ફુંકાઈ રહ્યો છે. જ્યારે યાત્રાધામ અંબાજીમાં કમોસમી વરસાદી સાથે છાંટા પણ પડતા જોવા મળ્યા હતા.

અંબાજી પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળતા અંબાજી અને દાંતા પંથકમાં વસવાટ કરતા ખેડૂતોમાં ચિંતાની પ્રસરી છે. તેમના પાકને નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યાંના ઘણા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...