મકરસંક્રાંતિ નિમિત્તે અંબાજી મંદિરને જય અંબે લખેલી વિવિધ પ્રકારની પતંગોથી શણગારવામાં આવ્યું છે. ભક્તોએ માના દર્શન કરી આનંદની લાગણી અનુભવી હતી. આજે ઉત્તરાયણના દિવસે પણ ભક્તોની માના નીજ મંદિરે ભારે ભીડ જામી હતી.
અંબાજી મંદિરને મકરસંક્રાંતિ નિમિત્તે પતંગોથી શણગારવામાં આવ્યું. મકરસંક્રાંતિને લઇ અંબાજી મંદિરને જય અંબે લખેલી વિવિધ પ્રકારની પતંગોના શણગારથી મંદિરને શણગારવામાં આવ્યું હતુ. અંબાજી મંદિર અને અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવને પણ વિવિધ પ્રકારની પતંગોથી શણગારવામાં આવ્યો હતો. અંબાજી મંદિરને પતંગોથી શણગારતા માઇભક્તોએ આનંદની લાગણી અનુભવી હતી. જય અંબે લખેલી પતંગોથી શણગાર કરાતા અંબાજી મંદિરમાં ભક્તિમય માહૌલ સાથે માઇભક્તો શણગારને જોઈ આનંદિત થયા હતા.
મકરસંક્રાંતિ નિમિત્તે અંબાજી મંદિરને વિવિધ પ્રકારના પતંગોથી શણગારવામાં આવ્યું હતુ. ખેડબ્રહ્માના માઇભક્તો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અંબાજી મંદિરને વિવિધ પ્રકારના પતંગોથી વિનામૂલ્ય શણગારવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે પણ અંબાજી મંદિરને વિવિધ પ્રકારના જય અંબે લખેલા પતંગોથી શણગારવામાં આવ્યું હતુ. મકરસંક્રાંતિને લઇ અંબાજી મંદિરને એક દિવસ અગાઉ 13 તારીખે સાંજે અંબાજી મંદિરને વિવિધ પ્રકારના પતંગોથી શણગારવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. ત્યારે અંબાજી મંદિરને 14 તારીખે મકરસંક્રાંતિના દિવસે વિવિધ પ્રકારના પતંગોના શણગારને જોઈ માઇભક્તો આનંદિત થયા હતા. અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના મંદિરને પણ વિવિધ પ્રકારના પતંગોથી શણગારવામાં આવ્યું હતુ. ત્યારે મકરસંક્રાંતિ નિમિત્તે પતંગના શણગારને જોઈ ભક્તોએ આનંદની લાગણી સાથે ખુશી વ્યક્ત કરી હતી. તો સાથે સાથે મા જગતજનની અંબાનો આશીર્વાદ મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.