શક્તિ, ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. દાંતા તાલુકામાં નાના-મોટા 212 જેટલા ગામો આવેલા છે. ત્યારે દાંતા તાલુકામાં આવેલા ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા હતા અને ખેડૂતોનો પાક પાણીમાં પલળી ગયો હતો અને તેમને ભારે નુકસાન થયું હતું. દાંતા તાલુકામાં મોટાભાગના ગામો પહાડી વિસ્તારમાં આવેલા છે અને આ તાલુકામાં વરસાદ આવતા અમુક ગામોમા આવેલા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. દાંતા તાલુકાનું અંતરીયાળ આવેલું વડુસણ ગામ આ ગામમાં વરસાદે કહેર વર્તાવ્યો હતો અને જે પગલે ખેડૂતોને નુકસાન થયું હતું.
ખેડૂતોએ સહાયની માગ કરી
અંબાજીથી 30 કિલોમીટર દુર પહાડોની વચ્ચે આવેલુ વડુસણ ગામ સુંદર અને નાનું ગામ છે. આ ગામમા છેલ્લા 24 કલાકમાં આવેલાં ભારે વરસાદના પગલે ખેડુતોના ખેતરમાં તૈયાર થયેલો પાક પાણીમાં પલળી ગયો હતો અને ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વડુસણ ગામે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મકાઈ અને મગફળીનો પાક પાણીથી બગડી ગયો હતો અને આ ગામના ખેડૂતો અને તેમના પરીવારે તંત્ર પાસે સહાયની માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.