શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતુ માં અંબાનું ધામ અંબાજી જગ વિખ્યાત છે. દરરોજ માં અંબાના ચરણોમાં શીશ નમાવા હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. અંબાજી આવતા શ્રદ્ધાળુઓ માં અંબા ના આશીર્વાદ સ્વરૂપ પ્રસાદ સાથે લઈ જતા હોય છે. આજે અંબાજી મંદિરમાં મળતો મોહનથાળના પ્રસાદના ભાવમાં વધારો કરાયો છે.
પેકેટ દીઢ 3 રુપિયાનો વધારો
અંબાજી મંદિરમાં ત્રણ સાઈઝમાં મોહનથાળના પ્રસાદના પેકેટ મળે છે. મોહનથાળના નાના પેકેટ જેની કિંમત 15 રૂપયા હતી, તેની કિંમત વધીને 18 રૂપયા કરાઈ છે. તો મીડીયમ સાઈઝ ના પેકેટ જેની કિંમત 25 રૂપયા હતી તેની વધારી ને 28 રૂપયા કરાઈ છે તો મોટા મોહનથાળ પ્રસાદ જેની કિંમત 50 રૂપયા હતી તેની ભાવ વધારી ને 52 રુપિયા કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.