ભગવાન શામળિયામાં અખૂટ શ્રદ્ધા ધરાવતા અમદાવાદના ગોતામાં રહેતા કાબાભાઇ ગેલાભાઈ રબારીનો પરિવાર વર્ષોથી દર પૂનમે ભગવાનના દર્શને આવે છે. આ પરિવાર દ્વારા શામળાજી નિજ મંદિરના ગર્ભગૃહના દરવાજાઓ કિંમતી લાકડા અને કોપરમાં તૈયાર કરાયા બાદ તેને સોનામાં મઢવામાં આવ્યા હતા.
અગાઉ પણ સોનાનું સિંહાસન અને હીરા જડિત ચાંદીનો મુગટ પણ અર્પણ કર્યો હતો
કલા કસબી કારીગરો દ્વારા આ દરવાજા ઉપર ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારો પણ સોનાથી કંડારાયા છે. વિષ્ણુ મંદિર ટ્રસ્ટને ભગવાન શામળિયાના નિજમંદિરના સોનાના દ્વાર શ્રદ્ધાળુ દ્વારા અર્પણ કરતાં ભક્તોમાં આનંદ છવાયો હતો. આ પરિવાર દ્વારા અગાઉ શામળિયાને સોનાનું સિંહાસન અને હીરા જડિત ચાંદીનો મુગટ પણ અર્પણ કરાયો હતો. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના મેનેજર કનુભાઈ પટેલે ભગવાનને અર્પણ કરાયેલા સોનાના દરવાજાનું મૂલ્ય આંકી શકાય નહીં તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.