કોંગ્રેસ દ્વારા ચાલુ ધારાસભ્યોને રિપિટ કરવા કે નહીં તે અંગે છેલ્લે સુધી ભારે ખેંચતાણ રહી અને છેક છેલ્લા દિવસે ઉમેદવાર જાહેર કર્યા. ત્યારે એવી જ એક મહત્વની બાયડ વિધાનસભા બેઠક કે આ બેઠક પર ચાલુ ધારાસભ્ય જસુ પટેલની ટિકિટ કાપી મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપ્યા બાદ જસુ પટેલે પોતાનું રોષ ઠાલવ્યો હતો.
ધારાસભ્યે આક્રોશ વ્યક્ત કર્યો
32 બાયડ બેઠક માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા બાયડ બેઠકના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને પાર્ટીએ ટિકિટ આપ્યા બાદ ચાલુ ધારાસભ્ય જસુ પટેલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, પાર્ટીએ મને ઓળખ્યો નથી અથવા મારી કોઈ ભૂલ હશે. હું મારા સિદ્ધાંત પ્રમાણે કામ કરૂં છું. મારા માટે જનતાની સેવા એજ મારો સિદ્ધાંત પાર્ટીએ ચોખઠા ગોઠવવા વાળાને ટીકીટ આપી છે એમ જણાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ તેમની આગળની રણનીતિ બાબતે પૂછતાં આગળ જોઈશું તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.