વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કમરકસી છે. કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી જનતાને પોતાનો હક અપાવવા માટે તૈયાર કરેલ સંકલ્પ પત્ર અને હર ઘર સ્ટીકરો લગાવવાનું અભિયાન શરૂ કર્યું છે અને લોકોને કોંગ્રેસ પક્ષ દ્વારા સમજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભિલોડા બેઠક સાચવી રાખવાના પ્રયત્નો શરુ
ભિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં દરેક ગામડાઓમાં ઘેર-ઘેર ફરી આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજને મળતા હકો જળ જમીન બાબતે સમજાવવામાં આવે છે અને પેસા એક્ટનો અમલ બરાબર થાય એ માટે મતદારોને સમજાવવામાં આવે છે. કોંગ્રેસની સરકાર આવશે તો દરેક કોરોનામાં અવસાન થયેલના વારસદારને ચાર લાખ રૂપિયા આપવાની અને હંગામી રોજમદાર કર્મચારીઓને કાયમી કરી નોકરી આપવાની જનતાને વાત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ભિલોડા બેઠક જાળવી રાખવા માટે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.