ખેડૂતોએ અરવલ્લી જિલ્લામાં મબલખ રવિ વાવેતર કર્યું છે. ત્યારે સારું ઉત્પાદન મેળવવા માટે પાણી આપવું પણ જરૂરી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ વીજળીનો સમય વધારવાની માગ કરી છે.
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ રવિ સિઝનમાં 1,31,000 હેક્ટર જમીનમાં વિક્રમી વાવેતર કર્યું છે. મહેનત કરીને મોંઘા ભાવના ખાતર બિયારણ પણ નાખ્યું છે. સારું ઉત્પાદન મેળવવા માટે પાણીની પણ જરૂર પડે છે. હાલ ચોમાસા સિઝનમાં વરસાદ પણ સારો થયો છે, જેથી પાક ઉત્પાદન વધુ મળવાની સંભાવના છે.
હાલ ખેડૂતોને સિંચાઈ માટે 8 કલાક વીજળી મળે છે. ત્યારે 8 કલાકનો સમય પૂરતો નથી. હાલ શિયાળો છે એટલે ઘરેલું વરપરાશમાં વીજળીનો વપરાશ ઓછો છે. જે વીજળી બચત થાય તે ખેડૂતોને બે કલાક વધારી આપે તો સિંચાઈ માટે પૂરતો સમય મળી રહે અને ખેતીપાકને પૂરતું પાણી મળવાથી સારું ઉત્પાદન મળવાની સંભાવના છે. જેથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ વીજળીના સમયમાં બે કલાક વધારવાની માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.