મોડાસાના વોલ્વા પાસેની ખાતે માઝૂમ જળાશયની મુખ્ય કેનાલમાં છેલ્લા ઘણા સમયથી લીકેજ સર્જાયું છે. જ્યારે જ્યારે પિયત માટે પાણી છોડવામાં છે, ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. આના કારણે ચારે બાજુ જાણે પાણીના નાના-મોટા ખાબોચિયા ભરાઈ ગયા હતા. નોંધનીય છે કે, અણધારી રીતે આમ નાના-મોટા અનેક લીકેજના કારણે પાણી વેડફાયું તો ખરું, પરંતુ હવે ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન પહોંચવાની સંભાવના રહેલી હોય એમ લાગી રહ્યું છે. મુખ્ય કેનાલમાં લીકેજ સર્જાતા પિયત માટે છોડાયેલું પાણી ખેતરોમાં વહેવા લાગ્યું હતું. જેનાં કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા.
સાફ સફાઈ માટેનાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથીના આક્ષેપો
તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. જેનાં કારણે ખેતર માલિક અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. છેલ્લાં ઘણાં સમયથી કેનાલનું સમયસર સમારકામ અને સાફ સફાઈ માટેનાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. તેવા આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ પ્રમાણે પાણીનો પ્રવાહ અચાનક ધસી આવતા ખેડૂતોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કારણ કે આનાથી પાકને નુકસાન પહોંચવાની સાથે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.