વારંવાર થતી કુદરતી હોનારાતો અને કમોસમી વરસાદથી ખેડૂતોની ખેત ઉત્પાદન મળવાની આશા પર પાણી ફરી જતું હોય છે. ત્યારે બાયડ ધારાસભ્યએ અરવલ્લી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેતપાકના નુકશાનનું વળતરની માગ કરી હતી.
અરવલ્લી જિલ્લામાં બે દિવસથી ભારે કરા સાથે કમોસમી વરસાદ થયો છે. જેના કારણે ખેડુતોને ખેતીપાકમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ જિલ્લામાં 72 હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. મકાઈ ચણા અને કપાસનું પણ વાવેતર કર્યું હતું. સારું ઉત્પાદન મળવાની આશા પણ હતી, પણ માવઠું વિલન બન્યું અને સંપૂર્ણ ખેતીપાકનું ધોવાણ થયું છે. જેના કારણે જિલ્લાના ખેડૂતોને કરોડોનું નુકશાન થયેલો છે. જેને લઈ બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને ખેડૂતોને નુકશાનીની સહાય ચૂકવવા માટે પત્ર પાઠવ્યો છે અને જો સહાય ના ચૂકવાય તો ખેડૂતોનો માલ ટેકાના ભાવે ખરીદવા માટે વિનંતી કરતો પત્ર પાઠવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.