તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લામાં ઉનાળાના પ્રારંભ સાથે સિંચાઈના પાણીની કમઠાણ સર્જાય તેમ લાગી રહ્યું છે. ઉનાળુ વાવેતરમાં બાજરી, ડાંગર, શાકભાજી અને ઘાસચારા વાવેતર સમયે જ કેનાલમાં પાણી બંધ રહેવાના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે તેની વધુ અસર શાકભાજી અને પશુચારા ઉપર થશે તેવી આશંકા ખેડૂતો સેવી રહ્યાં છે.
આ અગાઉ આણંદના સાંસદની રજૂઆતો ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ પાણી પુરવઠો વિલંબથી બંધ કરવાની રજૂઆતો કરતાં જૂન માસ સુધી સિંચાઈ માટે ઉનાળુ વેકેશન રહે છે. અને ફકત પાણી પૂરવઠાની જૂથ યોજનાઓ માટે પીવાના પાણીની વ્યવસ્થાનાં ભાગ રૂપે પાણી પુરૂ પાડવામાં આવશે.
આણંદ જિલ્લામાં હાલ તાલુકા મુજબ કુલ 47023 હેકટર દીઠ વાવેતરમાં હાલ શરૂઆતમાં 4029 હેકટર ડાંગર અને 9502 હેકટર બાજરી, 22 હેકટરમાં મકાઈ અને 6105 હેક્ટરમાં શાકભાજી અને 4189 હેકટરમાં ઘાસચારો જયારે અન્ય ધાન્ય પાકો મળી કુલ મળીને 24018 હેકટરમાં શરૂઆતનું વાવેતર થયું છે. હજી જિલ્લામાં ઘઉંની કાપણી ચાલી રહી છે. ત્યારબાદ બાજરી, અને ડાંગર વાવેતર થશે. આમ આ આંકડો સરેરાશ આંકડાને પહોંચી જશે.
સિંચાઈ પાણી વ્યવસ્થા માટે અહિ સિંચાઈ આણંદનાં કાર્યપાલક ઈજનેર કે.પી.શુકલે જણાવ્યું હતું કે ઉનાળુ પાણી પુરવઠો બંધ રાખવાનું જૂન માસ સુધી રહેશે. જોકે આણંદ સાંસદની રજૂઆતને લઈ આ પાણી પૂરવઠો થોડો વિલંબથી બંધ કરાયો છે એમ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.