રાજય સરકાર દ્વારા તા. 2 નવેમ્બર 2022 રોજ મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલી માટે સમગ્ર રાજયમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે આણંદ જિલ્લામાં જયાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવશે. તેમજ કોઇ જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજવામાં નહીં આવે.
રાજયના તમામ ગામડાંઓ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની સાથે આણંદ જિલ્લાની કચેરીઓમાં સવારના 11:00 કલાકે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભાઓ યોજીને શ્રધ્ધાસુમન અર્પણ કરવા જિલ્લા વહીવટીતંત્ર તરફથી જણાવાયું છે.
આ ઉપરાંત ભાજપ દ્વારા પણ મોરબી હોનારતમાં અવસાન પામેલ નાગરિકો માટે આવતીકાલ તા.2 નવેમ્બર 2022ના રોજ સવારેના સમયે શોકસભા દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકાના દરેક વોર્ડમાં રાખવાની સૂચના કાર્યકરો અને હોદ્દેદારોને આપવામાં આવી છે.જોકે આ શોકસભામાં ક્યાંય પાર્ટીના બેનર, ખેસ કે ટોપીનો ઉપયોગ કરવાનો નથી તેમજ તમામ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને સામાજીક આગેવાનોએ આ શોકસભામાં જોડાવા પણ જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.