તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લાના 14 રસીકરણ કેન્દ્ર પર મંગળવારે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ શનિવારે પોલીસકર્મીઓને મૂકવામાં આવેલી વ્ક્સિનને કારણે કેટલાકને આડઅસર થઈ હતી. જેથી સરકારી કર્મચારીઓએ વેક્સિન મુકાવવામાં રસ ન રાખતા માત્ર 38 ટકા સિદ્ધી મળી હતી. ે મંગળવારે 14 રસીકરણ કેન્દ્ર પર રસી મુકાવામાં આવી હતી. જેમાં સૌથી વધુ સોજીત્રા કેન્દ્ર 129 સરકારી કર્મી અને સૌથી ઓછી તારાપુર કેન્દ્ર પર માત્ર 11 સરકારી કર્મીઓ રસી મુકાવ ી છે. જો કે 14 કેન્દ્ર પર 1400ના લક્ષ્યાંક સામે 510 સરકારી કર્મચારીઓ રસી મુકાવતા માત્ર 38 ટકા રસીકરણ થયું છે.
આણંદ જિલ્લાના તારાપુર સીએચસી પર 11,બોરસદ સીએચસી પર15, નાપા સીએચસી પર 15, બોરસદ શ્રધ્ધા હોસ્પિટલમાં 40, અંજલી હોસ્પિટલમા 11, ખંભાતમાં 35, પેટલાદ સિવિલમાં 39, આણંદ સિવિલ હોસ્પિટલમાં 98, ગણેશ ચોકડી કેન્દ્ર માં 38, બાકરોલ પીએચસી કેન્દ્રમાં 33, વિદ્યાનગરમાં 18, ઉમરેઠ સીએસચીમાં 14 અને આંકલાવમાં 14 તથા સોજીત્રામાં 129 સરકારી કર્મચારીઓ વેકસિન લેતા 510 કર્મચારીઓ રસી મુકાવી હતી. જયારે આણંદ જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી શાલીબેને જણાવ્યું હતું કે વેક્સિન સામાન્ય અસર બે દિવસ રહે છે. સૌએ ગભરાયા વિના વેક્સિન લેવા જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.