તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદથી કેવડીયા જતી જન સતાબ્દી ટ્રેનને આણંદ સ્ટેપેજ નહીં મળતા રેલ્વે વિભાગમાં રજૂઆત કરી છે. ત્યારે કોરોના મહામારીના આણંદ-ખંભાત વચ્ચે દોડતી ડેમુ ટ્રેન બંધ કરી દેવાતાં ખંભાત,તારાપુર અને પેટલાદ મુસાફરો રેલ્વે ટ્રેનની સુવિધાથી વંચિત બન્યા હતા. ત્યારે હાલમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું હોવાથી ખંભાત -આણંદ વચ્ચે પુનઃ ડેમુ ટ્રેન દોડવવા માટે આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે રેલ્વેના મંત્રી પિયુષ ગોયેલને લેખિતમાં રજુઆત કરી છે.
લોકડાઉન પહેલા આણંદથી ખંભાત લાઈન પર દરરોજ 8 જેટલા રૂટો સાથે ડેમુ ટ્રેન દોડાવવામાં આવતી હતી.જેમાં વિધાનગર જીઆઇડીસી, આણંદ અમુલ ડેરી સહિત અન્ય કંપનીઓ હજારોની સંખ્યામાં લોકો રોજગારી માટે દિન-પ્રતિદીન ઉમટી પડતા હતા. જયારે ડેમુ ટ્રેનમાં ભાડુ ઓછુ હોવાથી વિદ્યાર્થીઓ સહિત નોકરિયાત વર્ગ મુસાફરી કરવાનું વધુ પસંદ કરતા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.