તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોરસદના ખાનપુર ગામે રોહિતવાસમાં રહેતો યુવક ઝઘડામાં વચ્ચે છોડાવવા પડતા તેને ધારીયું મારી ઈજાઓ કર્યાની ફરિયાદ વીરસદ પોલીસ મથકે નોંધાઈ છે.ખાનપુર ગામે રોહિતવાસમાં પંકજભાઈ મકવાણાના મોટાભાઈ મનુભાઈ મકવાણાની બાજુમાં રહેતા મેહુલભાઈ રોહિત પોતાના ઘરમાં જશભાઈ રોહિત સાથે અપશબ્દો બોલી ઝઘડો કરતો હોવાથી મનુભાઈ અને પંકજભાઈ બંને જણા મેહુલભાઈના ઘરે જઈ ઝઘડામાં છોડાવવા પડ્યા હતાં. ત્યારે જશભાઈ રોહિતે તું અહીયા છોડાવવા કેમ આવ્યો તેમ કહી ધારીયું મારવા જતા પંકજને હાથમાં ધારીયું વાગતા ઈજાઓ પહોંચી હતી. અને જશભાઈએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ બનાવ અંગે પંકજભાઈ મકવાણાએ વીરસદ પોલીસ મથકે જશભાઈ રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.