આણંદ જિલ્લામાં અકસ્માત સમયે તાત્કાલિક મદદમાં આવતી 108ની ટીમ ઘાયલોના કિંમતી મુદ્દામાલ પરત આપી પોતાની ઇમાનદારી દાખવતા હોય છે. આવો વધુ એક કિસ્સો ઉમેરાયો છે. જેમાં બોરસદના ડાલી રોડ પર રાત્રિના રીક્ષા, ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘાયલોના રોકડા, દાગીના મળી દોઢ લાખની કિંમતનો મુદ્દામાલ પરત કર્યો હતો.
બોરસદના ડાલી રોડ ઉપર રાત્રિના સમયે કસારી ગામ પાસે બાઈક અને મારૂતિ સિયાજ ગાડી વચ્ચે ગખ્વાર અકસ્માત સર્જાયો હતો આ ઘટનાં સ્થળે આજ સવારે ફરી એક વાર થ્રી વ્હીલ લોડીંગ રીક્ષા ટ્રક અને ટ્રેકટર વચ્ચે ગખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ એક રાહદારીએ 108 માં જાણ કરી હતી. જેના પગલે ગણતરીના સમયમાં સીએચસી રાસ 108ની ટીમ આવીને ઘટનાં સ્થળ પરથી નરેન્દ્રભાઇ પટેલ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું તેમનું રેસક્યું કરીને નજીકની શ્રધ્ધા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયાં હતાં. જોકે, હોસ્પિટલમાં લઇ જતા પહેલા નરેન્દ્રભાઇના ગળામાં સોનાની બે ચેઈન હાથની બે વિંટી જમણા હાથે કડું ઘડિયાળ તથા 2930 રૂપિયા રોકડા મોબાઇલ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ 108ની ટીમે સાચવીને મૂકી દીધા હતાં.
મહત્વનું છે કે આ બાદ નરેન્દ્રભાઈના પરિવારજનો સાથે ટેલીફોનીક જાણ કર્યા બાદ 108 નાં કર્મચારી ઇએમટી અશોક રોહિત તથા પોઈલોટ જયેશ પરમારએ હોસ્પિટલમાં જમાં કરાવ્યા હતાં. આ આભૂષણોની કિંમત અંદાજીત દોઢ લાખથી વધુ હોય અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત અવસ્થાનો લાભ લઇને કોઈપણ વ્યક્તિ ચોરી કરી શકે તેમ હતું. જોકે મક્કમ મનના ઇએમટી અશોક રોહિત તથા પોઈલોટ જયેશ પરમારએ પ્રમાણિકતા દાખવી માનવ ધર્મનું ઉદાહરણ આપ્યું હતું.
ઇએમટી અશોક રોહિત તથા પોઈલોટ જયેશ પરમારની કામગરીને 108 એમ્બ્યુલન્સના આણંદ જિલ્લા અઘિકારી રવિ પ્રજાપતિ અને ઉપરી અધિકારી બિપીન ભટેરિયા દ્વારા બિરદાવવામાં આવી હતી. આ સાથે જ નરેન્દ્રભાઇના પરીવારે પણ ઘરેણા પરત મળતાં અંતરપૂર્વકથી આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.