તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ તુલસી ગરનાળુ પહોળુ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી હાથ ધરાઇ છે. જેના પગલે નગરજનોને 6 કિમીનો ફોગટનો ફેરો ફરવો પડતો હોઈ હાલાકીનો ભોગ બનવું પડે છે. આથી ફરિયાદોના પગલે તંત્રની સુચના હેઠળ ગરનાળુ બનાવવાની કામગીરી હાલમાં અંતિમ તબક્કામાં ચાલી રહી હોવાથી ટુંક સમયમાં તુલસી ગરનાળુ ખુલ્લુ મુકવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ તુલસી ગરનાળુ એક તરફ કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે.
પરંતુ વરસાદી પાણી નિકાલ માટે નવીન પાઈપ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.જેના પગલે પરીખ ભુવન વિસ્તાર, ગામડીના રહીશોને રેલ્વેના પાટા ઓળંગીને જીવના જોખમે અપ ડાઉન કરવાની ફરજ પડે છે.આથી નગરજનોની ફરિયાદોના પગલે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી આરંભી દીધી છે. જે અંતિમ તબકામાં ચાલી રહેલી હોઈ ટુંક સમયમાં તુલસી ગરનાળુ નગરજનોની સુવિધા અર્થે ખુલ્લુ મુકી દેવામાં આવનાર છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.