આણંદ પાસેથી પસાર થઇ રહેલી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અમદાવાદના મહિલા મુસાફરનું પર્સ ચોરાયું હતું. જેમાં દોઢ લાખના મોબાઇલ અને દાગીના મળી કુલ રૂ.1.71 લાખનો મુદ્દામાલ હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આણંદ રેલવે સ્ટેશન પાસે 18મી જુલાઇ,22ના રોજ પસાર થઇ રહેલી વેરાવળ એક્સપ્રેસમાં સંધ્યાબહેન સંજયભાઈ રાઠોડ (રહે. અમદાવાદ) મુસાફરી કરી રહ્યાં હતાં. તેઓ ટ્રેનમાં સુઇ ગયાં હતાં. તે દરમિયાન 20મી જુલાઇ,22ના રોજ ટ્રેન સાંજના સમયે આણંદ રેલવે સ્ટેશન નજીક આવવાની તૈયારીમાં હતી. તે સમયે સંધ્યાબહેને જાગીને જોયું તો તેમનું લેડીઝ પર્સ ગુમ હતું. આથી, તેઓએ આસપાસમાં તપાસ કરતા મળી આવ્યું નહતું. જે ચોરી થયાનું જણાયું હતું.
મહત્વનું છે કે આ પર્સની કિંમત સાડા ત્રણ હજારની હતી. જેમાં એક આઈફોન રૂ.1.50 લાખ, સોનાની કાનની બુટ્ટી કિંમત રૂ.14 હજાર, રોકડા રૂ.4 હજાર તથા અગત્યના દસ્તાવેજો મળી કુલ રૂ.1,71,500 નો મુદ્દામાલ હતો. જે કોઇ ચોરી કરી ગયો હોવાનું જણાયું હતું. આ અંગે આણંદ રેલવે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.