તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજય સરકાર દ્વારા હજુ વધુ એક વખત ફેબ્રુઆરી સુધીમાં શાળાઓ ખોલવા ઉપરનો નિર્ણય જાહેર કર્યો છે. આગામી સમયમાં શાળાઓ ખુલ્લે નહીં ત્યાં સુધી રાજય સરકાર દ્વારા નાના બાળકોને તબક્કાવાર ફુંડ સિકયુરીટી એલાઉન્સ હેઠળ શાળાના વિદ્યાર્થીઓને ઘંઉ, ચોખા, અનાજનું વિતરણ મધ્યાહન ભોજન યોજના કચેરી આણંદ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. આ યોજના હેઠળ જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં કુલ1,88,651 બાળકોને 10,935.011 કવિન્ટલ અનાજનો જથ્થો કામકાજના દિવસો મુબજ વિતરણ કરી દેવાયો છે. જો કે ફૂડ સાથે કુંકીક માટેની રૂા.5.50 કરોડનું એલાઉન્સ સીધા બચતખાતામં જમા કર્યા છે.
મધ્યાહન ભોજન યોજનાં કચેરી આણંદ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પ્રા.શાળામાં ધો.1 થી 5માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી 1,20,194 છે. અને ધો.6 થી8માં અભ્યાસ કરતાં 68,651 વિદ્યાર્થીઓ જેઓને શાળા કામકાજના દિવસો મુજબ 49 દિવસનું ફુડ એલાઉન્સ જથ્તો વિતરણ કરાયો છે. ધો 1થી 5 માટે 5890.192 કવિન્ટલ ઘંઉ, ચોખા અને ધો 6થી 8નાં વિદ્યાર્થીઓને 5044.819 કવિન્ટલ ઘંઉ,ચોખા જે મળી કુલ જથ્થો 10935.011 કિવન્ટલનું વિતરણ કરાયું છે. આમ શાળાના કામકાજના દિવસોમાં તા1-09-20 થી તા.28-10.20 સુધીનાં 49 દિવસ મુજબનું આ ચુકવણું કરી દેવાયું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.