તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાવરકુંડલામાં રિદ્ધિસિદ્ધિ મંદિર પાસે નાવલી નદીમાં ગંદકીના ઢગ સર્જાયા છે. અહીં ટ્રાવેલ્સના ધંધાર્થીઓ મચ્છરના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. નગરપાલિકાને સફાઈ અંગે રજુઆત કરાય પણ હજુ સુધી કામગીરી હાથ ધરાઈ નથી. સાવરકુંડલાની નાવલી નદીમાં સફાઈનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાતો નથી. શહેરના રિદ્ધિસિદ્ધિ મંદિર પાસે ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે.
જેના કારણે ચારે તરફ ગંદકી સર્જાય છે. અત્યંત દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ લોકો માટે માથાના દુ:ખાવા સમાન બન્યો છે. અહીં નાવલી નદી પાસે મોટી સંખ્યામાં ટ્રાવેલ્સનો ધંધો ધમધમી રહ્યો છે. પરંતુ મચ્છરથી અહીં ધંધો કરી રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નગરપાલિકાને અવાર નવાર રજુઆત છતાં પણ સફાઇની કામગીરી કરાતી નથી. ત્યારે પાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાંથી જાગે અને સફાઈ અભિયાન શરૂ કરે તેવી લોક માંગ ઉઠી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.