મહાન વિભૂતિ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક રાજ્યના હુબલી જિલ્લાના ધારવાડ ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સમગ્ર દેશમાં કરવામાં આવ્યું હતું. અમરેલી સ્થિત વિદ્યાસભા ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું. કાર્યક્રમની શરુઆતમાં જિલ્લા કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધામાં જિલ્લાના વિજેતા કલાકારોએ લોકગીત અને લોક નૃત્ય રજૂ કર્યાં હતા.
200 જેટલા યુવાનો કાર્યક્રમમાં જોડાયા
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડનાં સભ્યો, શાળા-કોલેજના યુવા વિદ્યાર્થીઓ મળી 200 જેટલા યુવાનો કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાને આપેલા ઉદ્ઘબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. વડાપ્રધાએ દેશના યુવાનોને દેશ સેવા કરવાનો અનુરોધ કરી, પ્રેરણા પૂરી પાડી હતી, તેમ જિલ્લા રમત ગમત અધિકારી કુરેશીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.