તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામા આવેલા ખાખબાઈ, ઉંચેયા,વડ,રામપરા, ભચાદર,ભેરાઈ, સહિત આસપાસના ગામોના ખેડૂતોએ ઉનાળુ પાકનુ વાવેતર કરેલુ હોય જે પાકને પાણીની જરૂરિયાત હોવાના કારણે ખેડૂતો સરપંચો દ્વારા સિંચાઈ વિભાગ સાંસદ સહિત જવાબદાર રાજકીય નેતા ઓને પણ રજુઆત કરાય હતી જેને લઈને આજે રાજુલા ઘાતરવડી ડેમ 2નો 1 દરવાજો એક દિવસ સુધી ખુલો રહેશે જેથી નદી ડેમ કાંઠે આવેલી જમીનો ને ખૂબ ફાયદો થશે.
આજે રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા ભાજપ ના પ્રમુખ સહિત ના હોદેદારો હાજર રહ્યા હતા અને સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડયુ હતુ. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોએ ઉનાળુ પાક વાવેતર કરેલુ હોવાને કારણે સીધો ફાયદો થવાના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
6 જેટલા ગામને ફાયદો થશે- ખેડૂતઉંચેયા ગામના આગેવાન ખેડૂત પ્રતાપ બેપારિયા એ કહ્યું, અગાઉ રજૂઆતો પણ કરાય હતી જેથી આજે 1 દરવાજો ખોલાયો છે અને ઉનાળુ પાક ને સારો ફાયદો થશે. અમારા ગામો નદી કાંઠે આવેલા છે પાણી ના તળ હવે ઊંચા આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.