પાલીતાણાના શત્રુંજય ગિરિરાજ તીર્થ ઉપર થોડા દિવસ પહેલા અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. જે ઘટનાના રાજ્યભરમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા શહેરમા જેન સમાજના આગેવાનોમાં પણ આ મામલે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જૈન સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરીવા હતી.
મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યો
પાલીતાણાના ગિરિરાજ તીર્થ ઉપર તોડફોડ મામલે રાજયમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યના જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આજે રાજુલા શહેરમાં પણ જૈન સમાજે આ મામલે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. રાજુલા શહેરમા જેન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને પ્રાંત અધિકારીની કચેરીનો ઘેરાવ કર્યો હતો. તેમજ પટાંગણમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.