માતા અને બાળ મરણ ઘટાડવા,રસીકરણ કામગીરીને વેગ આપવા,સ્વચ્છતા જાળવવા,પોષણ સ્તર સુધારવા,રોગચાળો ના થાય તે માટેના પગલા લેવા તેમજ ગ્રામજનોને આરોગ્ય વિષયક પ્રોગ્રામની માહિતી મળી રહે તેવા વિવિધ ઉદેશો સાથે તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા ગાયત્રી મંદિર ખાતે ગ્રામ સંજીવની સમિતિના સભ્યોના ઓરીએન્ટેશન વર્કશોપનુ આયોજન કરવામા આવ્યું હતું.
ગ્રામ સંજીવની સમિતિની મિટીગ દર મહિને આશા બહેન દ્વારા કરી ગામને આરોગ્યની દ્રષ્ટિએ સમૃદ્ધ કરવા માટેના પ્રયત્નો કરવામા આવતા હોય છે અને સમિતિને ફાળવેલ દસ હજાર રૂપિયાના ફંડમાથી જરૂરિયાત પ્રમાણેનો ખર્ચ કરવા માટે નિભાવવાના થતા જરૂરી રજીસ્ટરો સમિતિ વાઈઝ આપી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા દ્વારા સમિતિ વિશે વિસ્તૃત માહિતી આપી આરોગ્યની સેવાઓ સુદૃઢ કરવા પર ભાર મુકવામા આવેલ.
સાથે સાથે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો જેમકે મેઘના મકવાણા દ્વારા નેશનલ હેલ્થ પ્રોગ્રામ,આશા હડિયા દ્વારા માતા અને બાળ આરોગ્ય સેવાઓ,કામિની ચુડાસમા દ્વારા બાળકોના વૃદ્ધિ અને વિકાસ,વૈભવી લાડુમોર દ્વારા બીનચેપી રોગો તેમજ શ્રુતિ સોનરાજ દ્વારા ક્રોસ ક્રેડલ પદ્ધતિ વિશે હાજર આરોગ્ય સ્ટાફને માહિતી સાથે સમજણ આપી જ્ઞાનમા વધારો કરવા માટેના પ્રયત્નો કરવામા આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.