આમ તો અમરેલીમા દર વર્ષે જન્માષ્ટમી પર્વ પર પરંપરાગત રીતે લોકમેળો યોજાય છે. પરંતુ કેારેાના કાળના બે વર્ષમા આયોજન બંધ રહ્યાં બાદ હવે ખુદ નગરપાલિકાએ ચાલુ સાલે છ દિવસીય લોકમેળાનુ આયોજન કર્યુ છે. નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન મહેતા, કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા અને ચીફ ઓફિસર એચ.કે.પટેલે જણાવ્યું હતુ કે લોકમેળાનો આરંભ 15મી ઓગષ્ટથી થશે. છ દિવસ સુધી ચાલનારો આ લોકમેળો 20મી તારીખ સુધી ચાલશે. આ લોકમેળામા ખાણીપીણીના સ્ટોલ અને તદન નવા જ પ્રકારની રાઇડસનો લ્હાવો માણવાનો લોકોને મોકો મળશે.
પાલિકા સુત્રોએ એમપણ જણાવ્યું હતુ કે લોકમેળામા ગુજરાતની હસ્તકલાને પણ ઉજાગર કરાશે અને સાથે સાથે ખ્યાતનામ કલાકારોના અવનવા કાર્યક્રમો પણ યોજાશે. વળી આ લોકમેળામા સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવામા આવશે. અહી જન્માષ્ટમીના દિવસે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવનુ પણ આયોજન કરવામા આવ્યું છે. અમરેલીના ફોરવર્ડ સ્કુલના પટાંગણમા આ લોકમેળો યોજાશે. છેલ્લા બે વર્ષથી લોકો પવિત્ર શ્રાવણ માસમા જાણે ઘરોમા કેદ હતા. ત્યારે હવે આ વર્ષે શ્રાવણ માસમા ભાતીગળ લોકમેળાની મજા માણશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.