તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખાંભાના બાબરપરાના જંગલમાં ભૂલવડી નદીના કાંઠે અજાણ્યા સાધુએ ઝાડ પર ગળા ફાંસો ખાધો હતો. અહીં કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે વન કર્મીએ ખાંભા પોલીસમાં જાણ કરી હતી.ખાંભા ના બાબરપરા ગામ નજીક ભૂલવડી નદીના કાંઠે 55 વર્ષીય સાધુએ ખાખરાના ઝાડ પર ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
જેની જાણ વન કર્મી લાલજીભાઇ ભાયાભાઇ રાતડીયાએ પોલીસને કરી હતી. જેના કારણે ખાંભા પોલીસે ઘટના સ્થળે પહોંચી કોહવાયેલી હાલતમાં મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. જંગલ વિસ્તારમાં ગળાફાંસાની ઘટનાને પગલે મૃતક સાધુ કોણ છે અને શા માટે આપઘાત કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.આ સાધુનું મોત ત્રણ-ચાર દિવસ પહેલા થયું હોવાનું મનાય છે. જેને પગલે લાશ કોહવાઈ ગયેલી હાલતમાં હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.