તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોના મહામારીના કારણે 170 દિવસથી શાળામાં શિક્ષણકાર્ય બંધ છે. તેવા સમયે છાત્રોને માસ પ્રમોશન આપી પાસ કરવામાં આવે ટીવી રાજુલા વાલી મંડળના પ્રમુખએ શિક્ષણ બોર્ડ અને શિક્ષણ મંત્રીને રજુઆત કરી છે.
રાજુલા વાલી મંડળના પ્રમુખ ચિરાગભાઈ જોષીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે ઓણસાલ બાળકો 170 દિવસથી શાળામાં અભ્યાસ કરી શક્યા નથી. હવે માત્ર છેલ્લા સત્રના 60 દિવસ બાકી રહ્યા છે. અહીં શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ વર્ગના પરિવાર પાસે એન્ડ્રોઇડ મોબાઈલ નથી. અમરેલી જિલ્લામાં 50 ટકા છાત્રોએ ઓનલાઈન અભ્યાસ મેળવ્યો હશે. તેવા સમયે ધોરણ 1 થી 9ના છાત્રોને માસ પ્રમોશન આપી પાસ કરવા વાલીઓમાં માંગ ઉઠી છે. તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પણ જરૂરી બની છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.