અમરેલી કિસાન સંઘ દ્વારા ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ અને નદીઓમાં સૌની યોજના મારફત પાણી છોડવાની માગ કરવામાં આવી છે. કિસાન સંઘ દ્વારા આજે બાબરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાામં આવ્યું હતું.
બાબરા કિસાન સંઘના હોદેદારો દ્વારા ખેડૂોત કપાસના મણદિઠ 2000 રૂપિયા આપવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌની યોજના મારફત નદીમાં પાણી છોડવાની પણ રજૂઆત કરવામાં આવી છે. કિસાન સંઘના હોદેદારો દ્વારા બાબરા મામલતદારને આવેદનપ ત્ર પાઠવવામાં આવ્યું હતું.
રખડતા પશુઓના કારણે ખેડૂતોના પાકને નુકસાની પહોંચી રહી છે ત્યારે રખડતા પશુઓના ત્રાસમાંથી પણ ખેડૂતોને મુક્ત કરાવવા રજૂઆત કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.