તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલીમાં દિપાવલીના પર્વ નિમિત્તે રામજી મંદીર રોડ પર આવેલી કાપડ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી હતી. લાંબા સમય બાદ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ખરીદી અર્થે આવ્યા હોવાથી પાથરણાવાળાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.
કોરોના મહામારીના કારણે અનેકના ધંધા-રોજગારને માઠી અસર પહોંચી છે. ત્યારે અમરેલીના રામજી મંદિર રોડ પર ભરવાથી કાપડ બજાર અને સિનિયર સીટીઝન પાર્ક પાસે ભરાતી રવિવારી બજારને પણ અસર પહોંચી હતી. જેના કારણે નાના પાથરણાવાળાઓ ચિંતાતુર બન્યા હતા. પણ દીપાવલીના તહેવારમાં રામજી મંદીર રોડ પર આવેલ કાપડ બજારમાં ખરીદીની ભીડ ઉમટી હતી.
અહીં વેપારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષ કરતાં ગ્રામ્ય વિસ્તારમાંથી 40 ટકા ખરીદી ઓછી જોવા મળે છે. પણ હાલ દિવાળીના તહેવાર નિમિત્તે લોકો ખરીદી અર્થે આવી રહ્યા છે. જેના કારણે પાથરણાવાળાઓનો પરિવાર પણ દીપાવલીના તહેવારની ઉજવણી કરી શકશે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.