તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાવરકુંડલામા રહેતા અેક યુવકને અહી જ રહેતા ચાર શખ્સાેઅે ખાદી કાર્યાલયમા અાવવાની ના પાડી બાેલાચાલી કરી પાઇપ અને છરી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા સાવરકુંડલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવક પર હુમલાની અા ઘટના સાવરકુંડલામા બની હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા અરવિંદભાઇ વાઘજીભાઇ બેરડીયા (ઉ.વ.35)નામના યુવકે સાવરકુંડલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે જગદીશ મગનભાઇઅે ગાળાે અાપી કહેલ કે તુ અને તારા બાપા ખાદી કાર્યાલયમા અાવતા નહી કહી ઉશ્કેરાઇ ગયા હતા. અા ઉપરાંત મગન બટુક અને કેતન મગન તેમજ માૈલિક જગદીશ નામના શખ્સાેઅે પાઇપ અને છરી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી હતી.
જયારે જગદીશભાઇ મગનભાઇ વાળાેદરાઅે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભાઇ કેતનભાઇ સાથે અગાઉનુ મનદુખ હાેય જે મુદે અરવિંદ વાઘજીભાઇ, અભી નિરજભાઇ, શામજી દિનેશભાઇ અને પંકજ બેરડીયાઅે પાઇપ અને બેઝબાેલના ધાેકા વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી અાપી હતી. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ કે.ડી.રાઠાેડ ચલાવી રહ્યાં છે. આમ, અગાઉના મનદુ:ખ મુદ્દે નજીવી બાબતે 4 શખ્સે હુમલો કર્યો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.