તપાસ:વઢેરા ગામના યુવકનું અગમ્ય કારણોસર મોત

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઘરેથી ગયા બાદ પરત નહી ફરતા પરિવારે શોધખોળ કરતા વાડીએથી બેભાન મળ્યો

જાફરાબાદ તાલુકાના વઢેરામા રહેતો એક યુવક પોતાના ઘરેથી જમીને નીકળી ગયા બાદ પરત નહી ફરતા પરિવારે શોધખોળ કરી હતી. આ યુવક વાડીએ બેભાન હાલતમા મળી આવતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતની આ ઘટના જાફરાબાદ તાલુકાના વઢેરામા બની હતી. અહી રહેતા નાનજીભાઇ રામભાઇ બાંભણીયા (ઉ.વ.32) નામનો યુવક ગઇકાલે ઘરેથી બપોરે જમીને નીકળ્યા બાદ બીજા દિવસે બપોર સુધી પરત ફર્યો ન હતો. જેને પગલે પરિવારે તેની શોધખોળ કરી હતી.

આ યુવક તેની વાડીએ બેભાન હાલતમા મળી આવ્યો હતો. યુવકને સારવાર માટે જાફરાબાદ સરકારી દવાખાને ખસેડવામા આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકનુ કોઇ અગમ્ય કારણોસર મોત થયુ હતુ. બનાવ અંગે મહેશભાઇ બાબુભાઇ બાંભણીયાએ જાફરાબાદ પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇ પી.વી.પલાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...