લાઠી તાલુકાના ધામેલ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી અમરેલી દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત પરિસંવાદ અને ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ખેડૂતોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી, સંકલિત રોગ જીવાત નિયંત્રણ, બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયત ખેતીવાડી વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તેમજ ડ્રીપ ઇરીગેશન વિશે વિસ્તૃત જાણકારી ખેડૂતોને આપી અને વધુમાં વધુ ખેડૂતો સરકારની યોજનાઓનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
વધુમાં ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ પણ કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં અમરેલી જિલ્લાના કૃષિ વૈજ્ઞાનિક પિનાકીનભાઈ પ્રજાપતિ, બાગાયત અધિકારી અક્ષયભાઈ ચૌહાણ, બાગાયત અધિકારી અવનીબેન ગૌસ્વામી, બાગાયત અધિકારી હેમાંશીબેન પુરોહિત, ગ્રામસેવક વિજયભાઈ પરમાર તથા પરેશભાઈ વઘાસીયા અને લાલજીભાઈ વિરમગામા ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.