ઉનાળાની ઋતુમાં અમરેલી જિલ્લામાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે વધુ એક ઘટના લાઠી તાલુકાના શેખ પીપરિયા ગામમાં સામે આવી છે. અહીં સુખનાથ ફર્નિચર નામની દુકાનમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જો કે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંદર કામ કરતા લોકો ઝડપથી બહાર આવી ગયા હતા. ઘટનામાં કોઈને ઇજા થઇ નહોતી, પરંતુ આગ વધુ જ્વલંત બની ગઈ હતી, જેના કારણે વ્યાપક નુકસાન ગયું હતું. સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયરની ટીમ પણ અહીં દોડી આવી હતી અને પાણીનો સતત મારો ચલાવ્યો હતો.
આ દુકાનમાં લાકડાનો જથ્થો વધારે હોવાને કારણે આગ પોણા કલાક કરતા વધુ સમય સુધી વિકરાળ બનતી રહી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો લગાવી તેને કંટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ ફર્નિચરનો મોટાભાગનો માલ-સામાન બળીને ખાખ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.