અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરના પ્રતિષ્ઠિત વેપારી સ્વ. દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની 7 મી પુણ્યતિથિ નિમિત્તે સરવૈયા પરિવાર દ્વારા દર વર્ષે સેવાકીય પ્રવુતિ ઓ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ફરીવાર રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે કેમ કે રક્તની જરૂરિયાત વધુ પડતી હોવાને કારણે આ પરિવાર દર વર્ષે પુણ્યતિથિ નિમિતે કેમ્પ રાખી સેવાકીય ધર્મ નિભાવી રહ્યા છે આ કેમ્પમાં આજે 86 જેટલા લોકો એ રક્તદાન કર્યું હતું, આયોજક સરવૈયા પરિવારના યુવા સામાજિક કાર્યકર સાગર સરવૈયા દ્વારા દર વર્ષે આ કેમ્પ નું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવી રહ્યું છે.
સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
સાંસદ નારણ કાછડીયા,ધારાસભ્ય હીરા સોલંકી, મહંત ભક્તીરામ બાપુ માનવ મંદિર, સાવરકુંડલા,કથાકાર યજ્ઞેશભાઈ ઓઝા, નારાયણદાસજી સ્વામી સહિત ના આગેવાનો, વેપારીઓ મોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.