સાવરકુંડલા લીલીયા વિધાનસભા સીટ પાટીદારોનો ગઢ છે. આ સીટ પર હાલમા 11 ઉમેદવારો મેદાનમા છે. અને અહીના 2.54 લાખ મતદારોના હાથમા આ ઉમેદવારોનુ ભવિષ્ય છે. ચુંટણી ગમે તે હોય રાજકીય પક્ષો પાટીદાર ઉમેદવારો પર પસંદગી ઉતારે છે. આ ચુંટણીમા પણ ભાજપ, કોંગ્રેસ તથા આપ એમ ત્રણેય મુખ્ય પક્ષોએ પાટીદાર ઉમેદવાર પર પસંદગી ઉતારી છે.
સાવરકુંડલા અને લીલીયા વિસ્તારની બનેલી આ સીટ પર 1,31,891 પુરૂષ મતદારો અને 1,22,320 સ્ત્રી મતદારો તથા 8 અન્ય જાતિના મતદારો મળી કુલ 2,54,219 મતદારો છે. વહિવટી તંત્ર દ્વારા 1 ડિસેમ્બરના રોજ આ સીટ પર 296 બુથ ખાતે મતદાન યોજવામા આવશે. આ બુથ 173 સ્થળે ઉભા કરવામા આવશે.
સાવરકુંડલા વિસ્તારમા તંત્ર દ્વારા 7 સખી બુથ, 1 વિકલાંગ સંચાલિત બુથ, 1 મોડેલ પોલીંગ બુથ અને 1 ઇકો ફ્રેન્ડલી બુથ તૈયાર કરવામા આવશે.સાવરકુંડલા સીટમા 64 બુથ લીલીયા તાલુકાના હશે. જયારે 223 બુથ સાવરકુંડલા તાલુકાના હશે. આ ઉપરાંત 9 બુથ જેસર તાલુકાના પણ હશે.
અહી મુખ્ય ત્રણ પક્ષો ઉપરાંત 2 પ્રાદેશિક પક્ષો અને 5 અપક્ષ ઉમેદવાર મેદાનમા છે. આ વિસ્તારમાથી મોટા પ્રમાણમા લોકો સુરત, અમદાવાદ જેવા શહેરોમા ધંધાર્થે સ્થાયી થયા છે. તેના કારણે પણ મતદાન પર અસર પડી શકે છે. મતદારો તો ઠીક પણ ભાજપના ઉમેદવાર પણ ધંધાર્થે અમદાવાદમા અને કોંગ્રેસના ઉમેદવાર ધંધાર્થે સુરતમા સ્થાયી થયેલા છે.
સીટ પર મતદારો અને બુથની સંખ્યા | |
પુરૂષ મતદાર | 1,31,891 |
સ્ત્રી મતદાર | 1,22,320 |
અન્ય જાતિ | 8 |
કુલ મતદાર | 2,54,219 |
મતદાન મથકો | 296 |
મતદાનના સ્થળો | 173 |
આ સીટ પર શું છે જ્ઞાતિનું ગણિત? | |
પાટીદાર | 88000 |
કોળી | 29000 |
દલિત | 30000 |
લઘુમતી | 18000 |
આહિર | 14000 |
બ્રાહ્મણ | 16000 |
લોહાણા | 8000 |
ભરવાડ-રબારી | 12000 |
છેલ્લી ચાર ચૂંટણીનું શું રહ્યું પરિણામ ? | |||
વર્ષ | વિજેતા ઉમેદવાર | પરાજીત ઉમેદવાર | લીડ |
2017 | પ્રતાપ દુધાત (કોંગી) | કમલેશ કાનાણી (ભાજપ) | 8531 |
2012 | વી.વી.વઘાસીયા (ભાજપ) | પ્રતાપ દુધાત (કોંગ્રેસ) | 2384 |
2007 | કાળુ વિરાણી (ભાજપ) | દિપક માલાણી (કોંગ્રેસ) | 17334 |
2002 | કાળુ વિરાણી (ભાજપ) | નવીનચંદ્ર રવાણી (કોંગ્રેસ) | 11130 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.