તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન કોઈન્તિયા ગામેથી પસાર થતી વિવિધ એસટી બસો બંધ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ખાનગી વાહનમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. જેથી ગામના સરપંચ છત્રસંગ ઠાકોરે વિરમગામ એસટી ડેપોના મેનેજરને કોઇન્તિયાના રૂટોની બસ સેવા શરૂ કરવા માટે રજૂઆત કરાઇ છે. જેમાં વિરમગામથી 7:15 કલાકની વિરમગામ-કડી-પનાર બસ જે 9:00 કલાકે કડી થી વિરમગામ આવતી સારી આવક ધરાવતી બસ છે.
સવારે 10 કલાકે ઉપડતી વિરમગામ-પનાર- રામપુરા શટલ બસ, સાંજે 4:00 કલાકે ઉપડતી વિરમગામ- પનાર- દેત્રોજ બસ કોરોના મહામારી ને કારણે 1 વર્ષ જેટલો સમયથી બંધ કરવામાં આવેલી જે વિરમગામ ડેપો મેનેજર દ્વારા આજ દિન સુધી ચાલુ કરવામાં આવી નથી. ઉપર બસો નો રૂટ બંધ હોવાથી અપડાઉન કરતા નોકરિયાત વર્ગ સહિત ધંધાર્થે બહાર જતા લોકોને વધારે ભાડું ચૂકવીને જાનના જોખમે પ્રાઇવેટ સાધનોમાં મુસાફરી કરવી પડે છે જે બાબતે વિરમગામ ડેપો મેનેજર દ્વારા લોકહિતાર્થે સત્વરે કાર્યવાહી થાય તેવી માંગ કોઇન્તિયા ગ્રામ પંચાયત સરપંચ ઠાકોર છત્રસંગ અંબારામજી દ્વારા કરવામાં આવી છે. બસો શરૂ થાય તો મુસાફરોને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી ન કરવી પડે અને તેઓની મુશ્કેલી દૂર થાય.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.