તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની છબી દરેક સરકારી કચેરીઓમાં પ્રદર્શિત કરવા માટે છેલ્લાં કેટલાંક સમયથી દલિત અધિકાર મંચ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે. જેના પગલે આયોગ તરફથી રાજ્યના મુખ્ય સચિવને નોટિસ કાઢીને આ અંગે 30 દિવસમાં અહેવાલ પાઠવવા જણાવ્યું છે.
દલિત અધિકાર મંચના સંયોજકે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિત્તે તેઓને સરકાર દ્રારા રાષ્ટ્રીય નેતાની યાદીમાં સમાવેશ કરવા અને આ અંગે રાજયપાલ સમક્ષ રાજયની તમામ સરકારી અને શૈક્ષણિક કચેરીઓમાં ડો. બાબા સાહેબ આંબેડકરની છબી મૂકવામાં આવે તે માટે લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતનો પત્ર રાજયપાલની કચેરી દ્વારા સામાન્ય વહીવટ વિભાગને તબદિલ કરવામાં આવ્યો હતો. જેના પગલે સામાન્ય વહીવટ વિભાગ તરફથી અમોને મોકલવામાં આવેલી ઠરાવની નકલમાં ડો. બાબા સાહેબ આંબેડકરનો સમાવેશ થયો નથી. જેના પગલે મુખ્ય સચિવને 30 દિવસમાં અહેવાલ આપવા જણાવવામાં આવ્યું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.