તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, મોરબી, ચોટીલા સહીતના સ્થળોએથી કામ-ધંધાના અભાવે પગપાળા ચાલી નીકળેલા શ્રમિકોને લીંબડી પાસે રોકી દેવાયા હતા. જેમાં મધ્યપ્રદેશના શીવા ગામના અને અમરેલીમાં મજૂરી કામ કરતા 5 શ્રમિકો બુધવારે નીકળી શનિવારે સાંજે લીંબડી પહોંચ્યા હતા. જ્યારે મોરબી સિરામિક ઉદ્યોગમાં કામ કરતા બિહારના 10 યુવાનો રાજકોટથી ટ્રેનમાં જવાની આશાએ પહેલા રાજકોટ પહોચ્યા હતા પરંતુ ત્યાંથી પણ કોઇ વ્યવસ્થા ન થતાં અંતે તારીખ 7 મે ના રોજ પગપાળા જવા રવાના થયા પરંતુ સોમવારે વહેલી સવારે લીંબડી પહોંચતા તેમને રોકી દેવામાં આવ્યા હતા.આ તમામ શ્રમિકો અંદાજે 4 થી 6 દિવસ સુધી ચાલીને લીંબડી પહોંચ્યા હતા પરંતુ રસ્તામાં તંત્રએ તેમના માટે કોઇ ખાવા પીવાની વ્યવસ્થા ન કરી હતી પર઼તુ સેવાભાવી સંસ્થાઓ દ્વારા તેમને દરેક જગ્યાએ જમવાનું પહોંચાડયું હતું. જ્યારે લીંબડીથી સોમવારે સાંજે કે મંગળવારે કદાચ તેમના વતન તરફ રવાના કરવામાં આવે તેવી શક્યતા છે.
શ્રમિક સાયકલ પર 550 કિમી દૂર જવા નીકળ્યો
વસાવા ગામેશભાઇ ગગજીભાઇ દ્વારકા કલરકામ કરતા હતાં પરંતુ લોકડાઉન થતાં 550 કિમી સાયકલ યાત્રા કરી પરિવાર પાસે જવા નીકળતા લીંબડી પાસે તંત્રે રોકી જમવાની વ્યવસ્થા કરી આપી હતી.
2 અરજી નામંજૂર થતા ચાલતી પકડી
જોગેશ્વર સાંતુપ્રસાદે જણાવ્યું કે, અમરેલીથી વતન જવા માટે કરેલી અરજી નામંજૂર થત નાછુટકે ચાલીને નિકળ્યા હતા પરંતુ લીંબડી રોકી લીધા છે અને હવે અહીંથી એમપીની બોર્ડર સુધી મુકી જશે તેવું આશ્વાસન આપ્યું છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.