તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી શાળાઓએ નવુ સત્ર શરૂ થાય ત્યારબાદ જ વાલીઓ પાસેથી ફી લેવાનો નિર્ધાર કર્યો છે. તેમ છતાં સુરેન્દ્રનગરની દયામયી શાળા દ્વારા વાલીઓને ફી ભરવા અંગેના મેસેજ વહેતા કરતા એનએસયુઆઇના કાર્યકરોએ કલેકટર કચેરીમાં રજૂઆત કરી પગલા ભરવા માંગ કરી છે. આ અંગે મયુરસિંહ ઝાલાએ જણાવ્યુ કે, મારૂ સંતાન દયામયી સ્કૂલમાં ધો. 1માં અભ્યાસ કરે છે. લોકડાઉન બાદ શાળા દ્વારા દરેક ધોરણનું વોટસએપ ગ્રૂપ બનાવાયુ છે. જેના થકી ઓનલાઇન અભ્યાસ કરાવાય છે. ત્યારે આ ગ્રૂપમા વાલીઓને ફી ભરવા અંગેનો મેસેજ આવ્યો છે. જેમાં સવારે 9 થી 11ના સમયે વાલીઓને શાળામાં બારીએ ફી ભરવા જણાવાયુ છે. કોરોનાની કપરી પરિસ્થિતીમાં શાળાઓએ માનવતા દાખવી વાલીઓ પાસે ફી હાલ માંગવી જોઇએ નહી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.