તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમસ્ત મહાજન દ્વારા આગામી રવિવારના રોજ સવારે 8થી સાંજના 6 કલાક સુધી એક દિવસીય ચિંતન શિબિરનું આયોજનકરવામાં આવ્યું છે. ગોકુલગામ આમલી, વટામણ - ધોલેરા રોડ, ધોલેરામાં ચુવાળ પંથકની પાંજરાપોળ ગૌશાળાના પદાધિકારીઓ અને જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જાનવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા” સમસ્ત મહાજન” ના મેનેજીંગ ટ્રસ્ટી ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્ય ગિરિશભાઈ શાહના માર્ગદર્શનમાં સમસ્ત મહાજન દ્વારા વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ગૌશાળા જીવ દયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ,
જીવદયાના ખેતરે કામ કરતા કાર્ય કરો, જીવદયાના કાર્યોમાં અનુદાન આપતા દાનવીરો, ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓ માટે એક દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને ચુવાળ પંથકની પાંજરાપોળ ગૌશાળાના પદાધિકારીઓ અને જીવદયાપ્રેમીઓ ધોલેરા ખાતે એક દિવસીય ચિંતન શિબિરમાં ભાગ લેશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.