ચુંવાળ પંથકના દેત્રોજ કટોસણ રોડ રામપુરા ભંકોડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તાજેતરમાં દિવેલાની વાવણી કરી હોય તેવા ખેડૂતોનું બિયારણ ધોવાઈ જવાની ચિંતા કરી રહ્યા છે. તો બીજી તરફ પંથક ના કેટલાક ખેડૂતો એ દિવેલાનું વાવેતર કર્યું નથી તેવા ખેડૂતો વરાપ થાય તેની રાહ જોઈ રહ્યા છે. હાલ પંથકમાં સામાન્ય હળવો વરસાદ વર્ષે હોય પંથકના ગામોના મોટા ભાગના તળાવો છલકાયા નથી. દેત્રોજ મામલતદાર કચેરી દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ચોમાસાની સીઝન અત્યાર સુધી 314 મીમી વરસાદ થવા પામ્યો છે હવે વરસાદ બધું થાય તો પંથકની ખેતીને નુકસાન થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
ઉલ્લેખીય છે કે, વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં સરી પડ્યા હતા. ત્યારે સતત વરસાદે ખેડૂતોની ચીંતામાં વધારો કરી દીધો છે. ખેતરોમાં પાણી ભરાઇ રહેતા બિયારણ બગડી જાય તેવો ઘાટ સર્જાયો છે. તો ક્યારેક બિયારણ ધોવાઇ જવાની પણ સંભાવના રહેલી છે. ખેડૂતો હવે ઉઘાડ નીકળે તેવી આશા રાખી રહ્યા છે. સિઝનનો અત્યાર સુધીનો 12 ઇંચથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે હવે વરસાદ ખમંયા કરે અને ઉઘાડ નીકળે તેવી આશા રાખી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.