અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા શહેરમાં આવેલી 608 જેટલી હાઇરાઈઝ રહેણાંક બિલ્ડીંગોમાં ફાયર એનઓસી નથી. આવી બિલ્ડીંગો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં 23 બિલ્ડિંગના પાણીના કનેક્શન કાપવાની શરૂઆત ઈજનેર વિભાગ દ્વારા કરવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા આજે પૂર્વ વિસ્તારમાં વધુ ચાર જેટલી બિલ્ડીંગોના પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રામોલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ, વસ્ત્રાલમાં સીટી 8, વટવામાં કેદારમ 44 અને જશોદાનગરમાં શિવમ ફ્લેટના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે
પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની 23માંથી બે દિવસ પહેલા 10થી વધુ બિલ્ડીંગોના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા હતા. જેમાં થલતેજના ઇન્દ્રપ્રસ્થ, સોલા આર સી ટેક્નિકલ પાસે નિર્માણ કોમ્પ્લેક્સ, ગોતા સેવનથ ગ્રેસ બિલ્ડીંગ, જજીસ બંગલોઝ રોડ પર આવેલા પુષ્કર ટાવર અને રોયલ ટાવર સહિત 10 જેટલી બિલ્ડીંગના તેના કનેક્શન કાપવામાં આવ્યા છે. બાકીની બિલ્ડિંગોના કનેક્શન પણ અમે દિવસોમાં કાપી નાખવામાં આવશે.
અમદાવાદમાં આવેલી રેસીડેન્સીયલ અને કોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર NOC લેવાની બાકી હોય તેવી તમામ બિલ્ડીંગોની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર મૂકવામાં આવતી હતી પરંતુ અમદાવાદ ફાયરબ્રિગેડના તંત્રના અધિકારીઓની એટલી બેદરકારી છે કે તેઓ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી જ મૂકવામાં આવી નથી. ફાયર એનઓસી મામલે કાર્યવાહી કરી અને નોટિસ પાઠવવામાં આવે છે. તે જે પણ બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી હોય તેની પણ માહિતી મૂકવામાં આવતી હતી. પરંતુ કહેવાય છે કે જ્યારે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો પડે તેમ અધિકારીઓ જ્યારે શહેરમાં મોટી આગની ઘટના બને અને હાઇકોર્ટ ગંભીર નોંધ લે ત્યારે ફાયર એનઓસી સહિતની કાર્યવાહી કરવાની યાદ આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.