અતીક અહેમદ અમદાવાદ ટુ પ્રયાગરાજ, 1300 KM કવરેજ:રાજસ્થાનના ઉદયપુરમાં UP પોલીસનો કાફલો બે વાર રોકાયો; અતીક હથકડી વગર નીચે ઉતર્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુપી પોલીસ ઉમેશ પાલ હત્યા કેસના આરોપી ગેંગસ્ટર અતીક અહેમદને સાંજે 5.44 કલાકે અમદાવાદની સાબરમતી જેલમાંથી બહાર લાવી હતી. UP STFએ તેને વાનમાં બેસાડ્યો અને પ્રયાગરાજ જવા રવાના થયા. જેલની બહાર અતીકે મીડિયાને કહ્યું, યે લોગ મેરી હત્યા કરના ચાહતે હૈં.

અતીકને બુધવારે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવનાર છે. અમદાવાદથી પ્રયાગરાજ સુધી યુપી એસટીએફ વાનમાં લગભગ 1300 કિલોમીટરનું અંતર કાપશે. આ મુસાફરી 22 થી 24 કલાકની હોઈ શકે છે. અમદાવાદની સાબરમતી જેલમાંથી સાંજે છ વાગ્યે યુપી પોલીસનો કાફલો બાહુબલી અતીક અહેમદને લઈને પ્રયાગરાજ જવા રવાના થયો હતો. રાત્રે ઉદયપુરમાં બે જગ્યાએ પેટ્રોલ પંપ પર હોલ્ટ કર્યો હતો. એકવાર અતીક અહેમદ હાથકડી વગર ફ્રેશ થવા નીચે ઉતર્યો હતો. રાત્રે અગિયાર વાગ્યે યુપી પોલીસનો કાફલો રાજસ્થાનથી મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહ્યો છે.

ભાસ્કરના બે રિપોર્ટર ચેતન પુરોહિત અને કમલ પરમાર અમદાવાદથી પ્રયાગરાજ સુધી આ સફરને ફોલો કરશે. ગેંગસ્ટર અતીકને પ્રયાગરાજ લઇ જતી વખતે એસ્કોર્ટ વ્હીકલના રૂટથી લઈ સ્ટોપેજ સુધી ભાસ્કરના બંને રિપોર્ટર ગ્રાઉન્ડથી સતત લાઇવ રિપોર્ટ આપશે.

ઉદેપુરમાં ફરી એકવાર પોલીસનો કાફલો રોકાયો
અતીક અહેમદને લઇને જઈ રહેલો યુપી પોલીસનો કાફલો ઉદેયપુરના ગીતાંજલિ હોસ્પિટલ બાયપાસ પાસે આવેલા પેટ્રોલ પંપ ઉપર ફરી એકવાર ઉભો રાખવામાં આવ્યો હતો. લગભગ 15 મિનિટ સુધી આ કાફલો અહીં રોકાયા પછી ફરી યુપી તરફ આગળ રવાના થયો હતો.

અતીકને લઇ યુપી પોલીસનો ઉદેપુરમાં હોલ્ટ
અતીક અહેમદને લઇને જતો યુપી પોલીસનો કાફલો ઉદેપુરના એચ.પી પેટ્રોલ પંપ ઉપર ઉભો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન અતીક અહેમદને ફ્રેશ થવા માટે નીચે ઉતારવામાં આવ્યો હતો. જો કે, આ દરમિયાન તેને કોઇપણ પ્રકારની હથકડી લગાવવામાં આવી નહોતી. લગભગ 15 મિનિટ સુધી આ કાફલો અહીં રોકાયા પછી ફરીથી યુપી તરફ આગળ જવા રવાના થયો હતો.

ગુજરાત બોર્ડર ક્રોસ કરી રાજસ્થાનમાં પ્રવેશ્યો કાફલો
ઉત્તર પ્રદેશ પોલીસનો કાફલો હાલ રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસ અધિકારી સુરક્ષાને લઇને તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સંદર્ભે રસ્તામાં અને રાજ્યની સરહદમાં પ્રવેશ કરતાની સાથે જ રાજસ્થાન પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસને વધારાની સુરક્ષા આપી હતી. હાલ અતિક અહેમદને લઇને પોલીસ ખેરવાડા પહોંચી છે. કાફલો ઉદયપુર તરફ આગળ વધી રહ્યો છે.

અતીક અહેમદને પ્રયાગરાજ આ રૂટથી લઈ જવાશે, જુઓ રોડ મેપ...
અમદાવાદથી હિંમતનગર, ઉદયપુર, કોટા, ઝાંસી, પ્રયાગરાજ

ઉત્તર પ્રદેશનો બાહુબલી માફિયા અતીક અહેમદ આખરે ચાર વર્ષ પછી અમદાવાદની સાબરમતી જેલની બહાર નીકળ્યો હતો. બ્લેક સલવાર અને સફેદ સાફામાં ગેંગસ્ટરને બહાર લાવવામાં આવ્યો હતો. તેને યુપી પોલીસ ટાઇટ સિક્યોરિટી હેઠળ પ્રયાગરાજ લઈ જવા નીકળી છે. જેલ બહાર પોલીસ કાફલો ખડકાઈ ગયો હતો. સાંજે છ વાગ્યે અતિકને લઈને ઉત્તર પ્રદેશ પોલીસ અમદાવાદથી રવાના થઈ હતી. સાબરમતી જેલની બહાર લાવીને અતીકને પોલીસવાનમાં ધક્કા મારીને બેસાડાયો હતો. એ પહેલાં અતીકે મીડિયા સામે કહ્યું હતું કે, યે લોગ મેરી હત્યા કરના ચાહતે હૈં.

દરમિયાન, જ્યારે સાંજે સાબરમતી જેલમાંથી અતીકને લઈને પોલીસ કાફલો નીકળ્યો ત્યારે પોલીસે બેરીકેડ્સ રાખીને મીડિયાના વાહનોને રોકી દેવામાં આવ્યા હતા. જેથી અનેક મીડિયા વાહનો પોલીસને ફોલો ના કરી શકે. થોડીવાર આરટીઓ સર્કલે કોન્વે રોકાયા બાદ ચિલોડાથી થઈ હિંમતનગર તરફ કાફલો આગળ વધી રહ્યો છે. મીડિયા કર્મીઓ સતત પ્રિઝનર વાનને ફોલો કરતા અતીકના કાફલાને હિંમતનગરથી શામળાજી વચ્ચે રોકવામાં આવ્યો હતો. લગભગ 3 મિનિટ સુધી રોક્યા બાદ ફરીથી કાફલોને આગળ વધાર્યો હતો.

લાંબા સમયથી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી જેલવાસ ભોગવતા અતીક અહેમદને ઉત્તર પ્રદેશ પોલીસે પરત લઈ જઈ રહી છે. આજે રવિવારે (26 માર્ચ 2023) સવારે સાડા નવ વાગ્યે પ્રયાગરાજ પોલીસ અમદાવાદની સાબરમતી જેલ પહોંચી હતી. ત્યારબાદ જેલ પ્રશાસન સાથે પ્રયાગરાજ પોલીસના કેટલાક અધિકારી અંદર ગયા હતા અને અતીક અહેમદને ઉત્તરપ્રદેશ લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી.

5 મિનિટ અતીકને લઈ જતો પોલીસનો કાફલો રોકાયો
સાબરમતી સેન્ટ્રલ જેલથી અતીક અહેમદને લઈને જતી કોન્વેમાં એક સિક્યુરિટી પ્રિઝનર વાન પાછળ રહી જતાં પાંચ મિનિટ સુધી કોન્વે રોકી દેવામાં આવ્યો હતો. અમદાવાદ આરટીઓ સર્કલ પાસે કોન્વે રોકાયા બાદ અતીક અહેમદને લઈને શાહીબાગ થઈને સિવિલ હોસ્પિટલ ત્યારથી દફનાળા અને ચિલોડા થઈને આગળ જઈ રહી છે.

પ્રિઝનર વાનમાં અતીકને બેસાડાયો
અતrક અહેમદને પ્રિઝનર વાનમાં લઈ જવામાં આવી રહ્યો છે. જેમાં સિક્યુરિટી માટે ફિંગર પ્રિન્ટ લોકથી લઈને બૂલેટપ્રુફ જેકેટ પહેરેલા પોલીસકર્મીઓ હાજર છે. પોલીસની પ્રિઝનર વાન અને ગાડીઓ જેલના દરવાજે ઉભી રાખવામાં આવી હતી. જેલમાંથી બહાર લાવીને સીધો જ અતીક અહેમદને ગાડીમાં બેસાડાયો છે. અતીક અહેમદને UP 70 AG 4078 નંબરની પ્રિઝનર વાનમાં લઈ જવામાં આવી રહ્યો છે. સાથે જ અન્ય એક આઈસર UP 70 AG 4063 નંબરની પ્રિઝનર વાનમાં અન્ય પોલીસકર્મીઓ સવાર છે.

સવારે પ્રયાગરાજ પોલીસની ટીમ અમદાવાદ આવી હતી
સાબરમતી જેલમાં રહેલ કુખ્યાત અતીક અહેમદની પૂછપરછ માટે આજે સવારે ઉત્તર પ્રદેશ પોલીસ 9:30 વાગે સેન્ટ્રલ જેલ પહોંચી હતી. બે મોટી પોલીસની ગાડીમાં પોલીસના જવાન અને બોલેરો ગાડીમાં પોલીસ અધિકારીઓ એમ કુલ 30થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. સેન્ટ્રલ જેલ પહોંચીને અતીક અહેમદને ઉત્તરપ્રદેશ લઈ જવાની કાર્યવાહી કરી હતી. પોલીસકર્મીઓ હથિયાર સાથે આવ્યા હતાં, તેમાંથી કેટલાક જેલની અંદર હતા, કેટલાક જેલની બહાર તો કેટલાક ગાડીમાં બેસી રહ્યા હતા.

અતીક અહેમદને ક્યા કેસમાં પ્રયાગરાજ લઈ જવાય છે

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અતીકે વર્ષ 2006માં ઉમેશ પાલનું બંદૂકના નાળચે અપહરણ કર્યું હતું. ઉમેશે 2007માં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ વિરુદ્ધ અપહરણનો કેસ દાખલ કર્યો હતો. પ્રયાગરાજની વિશેષ સાંસદ/ધારાસભ્ય કોર્ટ આ કેસમાં 28 માર્ચે પોતાનો ચુકાદો આપશે. આ કેસમાં આરોપી અતીકને રજૂ કરવા માટે UP STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) અમદાવાદ પહોંચી હતી.

​​​​​અતીક સામે 2007ના એક ગુનામાં બુધવારે કોર્ટમાં સુનાવણી
પ્રયાગરાજ પોલીસ કોર્ટમાં રજૂ કરવા અતીકને લેવા પહોંચી મળતી માહિતી મુજબ 2007માં અતીક અહેમદ વિરુદ્ધમાં ખંડણી અને રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો. જે મામલે બુધવારે સુનાવણી થવાની છે. સુનાવણીને લઈને કોર્ટ અતીક અહેમદને હાજર રહેવા આદેશ કર્યો છે. જેથી યુપીની પ્રયાગરાજ પોલીસ અતીક અહેમદને અહીંથી લઈ જઈ રહી છે. આ ઉપરાંત ઉમેશપાલની હત્યામાં પણ અતીક અહેમદની સંડોવણી હતી, જેથી અતીકની તે કેસમાં યુપીથી ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.

યુપીની MP-MLA અદાલતે અતીકને કોર્ટમાં હાજર કરવા આદેશ આપ્યો હતો
યુપીની MP-MLA અદાલતે અતીકને કોર્ટમાં હાજર કરવા આદેશ આપ્યો હતો

જૂન 2019માં અતીકને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 22 એપ્રિલ 2019ના રોજ આદેશ આપ્યો હતો કે અતીકને દેવરિયા જેલમાંથી ગુજરાતની ઉચ્ચ સુરક્ષા જેલમાં ખસેડવામાં આવે. અતીક પર રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલનું અપહરણ અને હુમલો કરવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો.

જેલમાં કેદ અતીક વોટ્સએપ દ્વારા સંપર્કમાં રહેતો હતો
UPના ઉમેશ પાલ હત્યાકાંડમાં છેલ્લા 24 કલાકમાં 3 મોટા ખુલાસાઓ થયા છે. પ્રથમ- પ્રયાગરાજમાં ઉમેશની હત્યા માટે 6 નહીં, 13 શૂટર પહોંચ્યા હતા. તેમાંથી 7 પાછળથી રાહ જોઈ રહ્યા હતા. બીજો- હત્યાનું કાવતરું મુસ્લીમ હોસ્ટેલમાં ઘડવામાં આવ્યું હતું. ત્રીજુ- કાવતરામાં મુખ્ય ભુમિકા અમદાવાદની સાબરમતી જેલમાં કેદ અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફની હતી. અશરફ બરેલીની જેલમાં કેદ છે. જેલમાં રહીને જ બંને વોટ્સએપ કોલ દ્વારા જ પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહેતા હતા.

આ ખુલાસો અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ અને હત્યામાં સામેલ સદાકત ખાને પૂછપરછ દરમિયાન કર્યો છે. પ્રયાગરાજના પોલીસ કમિશ્નર રમિત શર્માએ જણાવ્યું હતું કે સદાકતની STFએ ગોરખપુરથી ધરપકડ કરી હતી. તે નેપાળ ભાગી જવાની તૈયારીમાં હતો. સદાકત અલ્હાબાદ યુનિવર્સિટીની મુસ્લિમ બોર્ડિગ હોસ્ટેલના રુમ નં-36માં ગેરકાયદે રીતે રહેતા હતો. આ જ રુમમા ઉમેશ પાલની હત્યા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

30થી વધુના પોલીસ કાફલો અતીકને લેવા આવ્યો
સાબરમતી જેલમાં રહેલ કુખ્યાત અતીક અહેમદની પૂછપરછ માટે આજે સવારે ઉત્તર પ્રદેશ પોલીસ 9:30 વાગે સેન્ટ્રલ જેલ પહોંચી હતી. બે મોટી પોલીસની ગાડીમાં પોલીસના જવાન અને 2 બોલેરો ગાડીમાં પોલીસ અધિકારીઓ એમ કુલ 30થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. સેન્ટ્રલ જેલ પહોંચીને અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસકર્મીઓ હથિયાર સાથે આવ્યા છે, જેમાંથી કેટલાક જેલની અંદર છે, કેટલાક જેલની બહાર તો કેટલાક ગાડીમાં છે.

પ્રયાગરાજ પોલીસ કોર્ટમાં રજૂ કરવા અતીકને લેવા પહોંચી
મળતી માહિતી મુજબ 2007માં અતીક અહેમદ વિરુદ્ધમાં ખંડણી અને રાયોટિંગનો ગુનો દાખલ થયો હતો. જે મામલે બુધવારે સુનાવણી થવાની છે. સુનાવણીને લઈને કોર્ટ અતીક અહેમદને હાજર રહેવા આદેશ કર્યો છે. જેથી યુપીની પ્રયાગરાજ પોલીસ અતીક અહેમદને લઈ જવા અહીં પહોંચી છે. અત્યારે જેલની અંદર કાગળની કાર્યવાહી ચાલી રહી છે, જે કાર્યવાહી પૂરી થતાં અતીક અહેમદને યુપી લઈ જવામાં આવશે.આ ઉપરાંત ઉમેશ પાલની હત્યામાં પણ અતીક અહેમદની સંડોવણી હતી, જેથી અતીકની તે કેસમાં યુપીથી ધરપકડ કરવામાં આવી શકે છે.

અતીકને 2019માં સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો
જૂન 2019માં અતીકને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 22 એપ્રિલ 2019 ના રોજ આદેશ આપ્યો હતો કે અતીકને દેવરિયા જેલમાંથી ગુજરાતની ઉચ્ચ સુરક્ષા જેલમાં ખસેડવામાં આવે. અતીક પર રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જયસ્વાલનું અપહરણ અને હુમલો કરવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો.

જેલમાં કેદ અતીક વોટ્સએપ દ્વારા સંપર્કમાં રહેતો હતો

UPના ઉમેશ પાલ હત્યાકાંડમાં છેલ્લા 24 કલાકમાં 3 મોટા ખુલાસાઓ થયા છે. પ્રથમ- પ્રયાગરાજમાં ઉમેશની હત્યા માટે 6 નહીં, 13 શૂટર પહોંચ્યા હતા. તેમાંથી 7 પાછળથી રાહ જોઈ રહ્યા હતા. બીજો- હત્યાનું કાવતરું મુસ્લિમ હોસ્ટેલમાં ઘડવામાં આવ્યું હતું. ત્રીજો- કાવતરામાં મુખ્ય ભૂમિકા અમદાવાદની સાબરમતી જેલમાં કેદ અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફની હતી. અશરફ બરેલીની જેલમાં કેદ છે. જેલમાં રહીને જ બંને વોટ્સએપ કોલ દ્વારા જ પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહેતા હતા.

આ ખુલાસો અલાહાબાદ હાઈકોર્ટનો વકીલ અને હત્યામાં સામેલ સદાકત ખાને પૂછપરછ દરમિયાન કર્યો છે. પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્માએ જણાવ્યું હતું કે સદાકતની STFએ ગોરખપુરથી ધરપકડ કરી હતી. તે નેપાળ ભાગી જવાની તૈયારીમાં હતો. સદાકત અલ્લાહબાદ યુનિવર્સિટીની મુસ્લિમ બોર્ડિગ હોસ્ટેલના રૂમ નં-36માં ગેરકાયદે રીતે રહેતા હતો. આ જ રૂમમાં ઉમેશ પાલની હત્યા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

અત્યાર સુધીના અપડેટ્સ...

  • સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નના જવાબમાં યુપી સરકાર પર કટાક્ષ કર્યો અને કહ્યું, 'મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના મંત્રીઓને કહ્યું હશે કે વાહન પલટી જશે... એટલા માટે તેમના મંત્રીઓ આવા નિવેદનો આપી રહ્યા છે.
  • ડીજી (જેલ) આનંદ કુમારે જણાવ્યું - અતીકને પ્રયાગરાજ જેલની ઉચ્ચ સુરક્ષા બેરેકમાં રાખવામાં આવશે. તેના સેલમાં સીસીટીવી કેમેરા હશે. જેલ સ્ટાફની પસંદગી તેમના રેકોર્ડના આધારે કરવામાં આવશે. તેમની પાસે બોડી વોર્ન કેમેરા હશે. જેલ હેડક્વાર્ટર તેના પર વીડિયો વોલ દ્વારા ચોવીસ કલાક નજર રાખશે.
  • કાનપુરમાં અતીકના નજીકના હિસ્ટ્રીશીટર જરાર અહેમદ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જરારને પગમાં ગોળી વાગી હતી. તેની ધરપકડ કરવામાં આવી છે.

ઉમેશ હત્યા કેસને એક મહિનો થવા છતાં હજુ પાંચ આરોપીઓ ફરાર
24 ફેબ્રુઆરીની સાંજે પ્રયાગ રાજમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓમાં, ગેંગના મોસ્ટ વોન્ટેડ અતીકનો પુત્ર અસદ અને તેનો શાર્પ શૂટર હજુ પણ પોલીસથી દૂર છે. આ લોકોએ ગેટ ખોલ્યા બાદ કારમાંથી નીચે ઊતરતા જ ઉમેશ પાલને ગોળીઓ અને બોમ્બથી મારી નાખ્યા હતા.

યોગીએ કહ્યું હતું- માફિયાને માટીમાં ભેળવી દઈશું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિપક્ષના નેતા અખિલેશ યાદવની થોડા સમય પહેલાં રાજ્ય વિધાનસભામાં જોરદાર ચર્ચા થઈ હતી. CM યોગીએ સદનમાં કહ્યું, 'અમે માફિયાઓની વિરુદ્ધ છીએ, અમે તેમને માટીમાં ભેળવી દઇશું. અમે કોઈ માફિયાને છોડીશું નહીં. તેમણે કહ્યું હતું કે સપાએ જ અતીક અહેમદને આશ્રય આપ્યો હતો. ગુનેગારને સાંસદ બનાવો અને પછી તમાશો કરો. મુખ્યમંત્રીએ કહ્યું કે સપા માફિયાઓનું પાલનપોષણ કરનાર છે. રાજુ પાલ હત્યા કેસમાં દોષિત અતીક અહેમદને સપાએ ધારાસભ્ય તરીકે આશ્રય આપ્યો હતો.

ઓવૈસી બે વર્ષ પહેલાં અમદાવાદ આવ્યા ત્યારે અતીકને જેલમાં મળવા માગતા હતા
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી બે વર્ષ પહેલાં ગુજરાત મુલાકાતે આવ્યા ત્યારે તેઓ સાબરમતી જેલમાં બંધ ઉત્તર પ્રદેશના માફિયા ડોન અતીક અહેમદ સાથે મુલાકાત કરવા માગતા હતા, પરંતુ જેલ પ્રશાસને આ મુલાકાત માટે ઈનકાર કર્યો હતો. પ્રશાસને કહ્યું છે કે અતીક માત્ર પરિવારના સભ્યો અથવા તેમના ઓફિશિયલ વકીલ સાથે જ મુલાકાત કરી શકે છે. યુપીમાં અતીક અહેમદની આગળ બાહુબલી શબ્દ લગાડવામાં આવે છે અને 17 વર્ષની ઉંમરે જ તેના પર મર્ડરનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

દેશના રાજકારણમાં ઘણા લોકો એવા છે, જે ખૂબ નાની અથવા માફિયાની દુનિયામાંથી નીકળીને આવ્યા હોય. અમુક લોકોએ નેતા બન્યા પછી તેમની છબિ સુધારી લીધી છે, પરંતુ યુપીના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અતીક અહમદે તેની છબિ સાથે કોઈ સમજૂતી કરી નથી. તે ત્રણ દશકા પહેલાં જેવો હતો તેવો જ આજે છે. તે માથા પર સફેદ રૂમાલની પાઘડી પહેરે છે અને આજે પણ તેના નામની આગળ બાહુબલીનું ઉપનામ લાગે છે. અતીક સપામાંથી ટિકિટ લઈ બેવાર ધારાસભ્ય બન્યો હતો.

મર્ડર, ખંડણી, અપહરણ જેવા આરોપ છે અતીક પર
અતીક અહમદનો જન્મ 10 ઓગસ્ટ 1962માં શ્રાવસ્તી જનપદમાં થયો હતો. અભ્યાસમાં તેને કોઈ ખાસ રસ નહોતો, તેથી તેણે હાઈસ્કૂલમાં નપાસ થયા પછી અભ્યાસ છોડી દીધો હતો. ઘણા માફિયાઓની જેમ અતીક પણ ગુનાહિત દુનિયામાંથી રાજકારણમાં આવ્યો છે. પૂર્વાંચલ અને અલ્લાહબાદમાં ખંડણી, અપહરણ જેવા ઘણા કેસમાં તેનું નામ આવ્યું છે. 1979માં માત્ર 17 વર્ષની ઉંમરે અતીક અહમદ પર મર્ડરનો આરોપ લાગ્યો હતો. અત્યારે હાલ નાની-મોટી થઈને તેની સામે 196 ફરિયાદ કરવામાં આવી છે. તેની સામે ઉત્તર પ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલ્લાહાબાદમાં જ નહીં, પરંતુ બિહારમાં પણ મર્ડર, અપહરણ, જબરદસ્તી વસૂલી જેવા કેસ નોંધાયેલા છે. તેની વિરુદ્ધમાં સૌથી વધુ અલ્લાહાબાદમાં કેસ નોંધાયેલા છે. કાનપુરમાં પણ તેની સામે પાંચ કેસ નોંધાયેલા હતા, જેમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

રાજકારણમાં પહેલું પગલું
ગુનાની દુનિયામાં નામ કમાઈ ચૂકેલા અતીકને સમજાઈ ગયું હતું કે સત્તાની તાકાત કેટલી મહત્ત્વની હોય છે. તેથી તેણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. વર્ષ 1989માં તે પહેલીવાર અલ્લાહાબાદ વિધાનસભા સીટથી ધારાસભ્ય બનેલો. તેણે 1991 અને 1993માં અપક્ષમાં રહીને ચૂંટણી લડી અને ધારાસભ્ય પણ બન્યો. 1996માં આ જ સીટ પર તેને સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી અને તે ફરી ધારાસભ્ય બન્યો. અતીક અહેમદ 1999માં અપના દળ પાર્ટીમાં જોડાયો. તે પ્રતાપગઢથી ચૂંટણી લડ્યો અને હારી ગયો. તે 2002માં આ જ પાર્ટીમાંથી ફરી ધારાસભ્ય બન્યો. 2003માં જ્યારે યુપીમાં સરકાર બની ત્યારે અતીકે ફરી મુલાયમ સિંહનો હાથ પકડ્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેને ફૂલપુર સંસદીય વિસ્તારમાંથી ટિકિટ આપી અને તે ત્યાંનો સાંસદ બન્યો. ઉત્તર પ્રદેશની સત્તા મે 2007માં માયાવતીના હાથમાં આવી ગઈ. તેના બધા નિર્ણયો ખોટા પડવા લાગ્યા. તેની સામે એક પછી એક કેસ નોંધાવા લાગ્યા હતા.

આ રીતે મેસેજ પહોંચાડતો હતો અતીક
અતીક અહેમદનું વધુ એક રહસ્ય પણ ઘણું રસપ્રદ છે. તેણે ચૂંટણી દરમિયાન ફંડ ક્યારેય ફોન કરીને કે કોઈને ડરાવી ધમકાવીને નથી લીધું, પરંતુ શહેરના પોશ વિસ્તારમાં બેનર લગાવે છે અને એમાં લખ્યું હોય છે કે તમારો પ્રતિનિધિ તમારી પાસેથી સહયોગની અપેક્ષા રાખે છે. મત આપો અને ગરીબને જિતાડો. બનેરમાં લખેલા શબ્દો વાંચીને લોકો અતીકના ઘરે ફંડ મોકલાવી દેતા. એટલું જ નહીં, તે તેના ખાસ માણસને મેસેજ આપવા માગતો હોય તો તે વિવિધ ન્યૂઝપેપરમાં જાહેરાત આપતો હતો, જેમાં લખ્યું હતું કે શું કરવું છે અને શું નથી કરવાનું.

તે 2004માં વિધાનસભા ચૂંટણીમાં ફૂલપુરથી સપાની ટિકિટ પર સાંસદ બની ગયો હતો. એ સિવાય અલ્લાહાબાદ પશ્ચિમ વિધાનસભા સીટ ખાલી થઈ ગઈ હતી. સીટ પર પેટાચૂંટણી થઈ, સપાએ અતીકના નાના ભાઈ અશરફને ટિકિટ આપી હતી, પરંતુ તેનો ડાબો હાથ કહેવાતા બસપાએ તેની સામે રાજુ પાલને ઊભો કરી દીધો હતો. રાજુએ અશરફને હરાવી દીધો. પેટાચૂંટણીમાં જીત નોંધાવીને પહેલીવાર ધારાસભ્ય બનેલા રાજુ પાલને અમુક મહિનાઓ પછી 25 જાન્યુઆરી 2005માં ધોળા દિવસે ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડમાં સીધી રીતે સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને આરોપી બનાવવામાં આવ્યા હતા. માયાવતીના ડરના કારણે અતીકે દિલ્હીમાં સરેન્ડર કર્યું હતું.

નેતાજીએ પાર્ટીમાંથી કાઢ્યો
બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં નામજોગ આરોપી થયા પછી પણ અતીક સાંસદ તરીકે કાર્યરત હતો. એને કારણે ચારેય બાજુ તેની ઘણી નિંદા થઈ હતી અને અંતે મુલાયમ સિંહે ડિસેમ્બર 2007માં બાહુબલી સાંસદ અતીક અહેમદને પાર્ટીમાંથી બહાર કાઢી નાખ્યો હતો. અતીકે રાજુ પાલ હત્યાકાંડના સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મુલાયમ સિંહની સત્તા જવાના કારણે અને માયાવતીની સત્તા આવવાને કારણે તે સફળ ના થઈ શક્યો. ધરપકડના ડરને કારણે તે ભાગતો ફરતો હતો. તેના ઘર, કાર્યાલય સહિત પાંચ જગ્યાની સંપત્તિ કોર્ટના આદેશ પછી જપ્ત કરી લેવામાં આવી હતી. તેની ધરપકડ પર પોલીસે 20 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સાંસદ અતીકની ધરપકડ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ માયાવતીના ડરના કારણે તેણે દિલ્હીમાં સરેન્ડર કરવાનું વિચાર્યું.

માયાવતી સત્તામાં આવતાં અતીકની હાલત બગડી
માયાવતી સત્તામાં આવતાં અતીકની હાલત ખરાબ થવા લાગી. પોલીસ વિકાસ પ્રાધીકરણના અધિકારીઓએ તેની ખાસ અલીના સિટીને ગેરકાયદે જાહેર કરીને બાંધકામ તોડી પાડ્યું. ઓપરેશન અતિક અંતર્ગત જ 5 જુલાઈ 2007ના રોજ રાજુ પાલ હત્યાકાંડના સાક્ષી ફમેશ પાલે તેની સામે ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને જબરદસ્તી નિવેદન અપાવવા મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી અન્ય ચાર સાક્ષી તરફથી પણ તેની સામે ફરિયાદ નોંધવવામાં આવી હતી. બે મહિનાની અંદર જ અતીક અહેમદ સામે અલ્લાહાબાદમાં 9 કૌશામ્બી અને ચિત્રકૂટમાં એક-એક કેસ નોંધવામાં આવ્યો હતો.

અતીક અહમદ ગુજરાતની જેલમાં કેવી રીતે આવ્યો
19 માર્ચ 2017માં યુપીમાં યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. અતીક બે વર્ષ સપામાં ધારાસભ્ય રહ્યો હતો. 26 ડિસેમ્બર 2018માં યુપીના મોટા વેપારી મોહિત જયસ્વાલનું અતીકના માણસોએ ધમકી આપી હતી અને તેનો બધો બિઝનેસ અતીક અહેમદના નામે ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. મોહિત જયસ્વાલે ડર્યા વગર અતીક સામે કેસ કર્યો. ત્યાર પછી તેને દેવરિયા જેલમાંથી બરેલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અંતે, આ કેસની સુનાવણી પહેલાં હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે આ સુનાવણી સીબીઆઈને સોંપી દીધી અને અતીકને યુપીની બહાર અમદાવાદની સાબરમતી જેલમાં હાઈ સિક્યોરિટીમાં રાખવા માટેનો આદેશ આપ્યો હતો. એ સાથે જ દેવરિયા જેલના 5 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

જાહેરમાં આવ્યા વિના વાયદા કારોબારમાંથી કરોડોની કમાણી કરી
જેપી સિંહ કહે છે કે, જમીનના વ્યવસાયમાં એક રસ્તો છે કે અમે જમીન ખરીદી અને માલિક પાસેથી સીધી નોંધણી કરાવી. બિલ્ડરોનો બીજો રસ્તો એ છે કે તેઓ કોઈની જમીનના વેચાણ કરાર કરાવી લે છે. અતીકે વાયદાનો વેપાર શરૂ કર્યો. જે ખેડૂતની જમીન તેને ગમતી હતી તેની સાથે વાત કરી. અલ્લાહબાદમાં કોઈ અતીકને જમીન આપવાનો ઈન્કાર કરી શકે નહીં.

પોતાના અનુસાર અથવા તેના અનુસાર કિંમત નક્કી કરવામાં આવી હતી અને જ્યારે જમીન વેચવામાં આવી હતી, ત્યારે અતીકના ગુંડા તે ખેડૂત પાસે નોંધણી કરાવીને જમીન વેચતા હતા. તેના હિસ્સાના પૈસા આપી દેતા. આવી સ્થિતિમાં અતીક પડદા પાછળ જ રહેતો.

અતીકનો વાયદાનો ધંધો અલ્લાહબાદથી લઈને યુપીનાં અનેક શહેરોમાં ચાલતો હતો. આ રીતે તેમનું નામ ભંગારના ધંધામાં ચાલ્યું. તે ખૂબ જ ઓછી કિંમતે ભંગાર ખરીદતો અને ઊંચા ભાવે વેચતો. અતીક જ્યાં રેલવેમાં ટેન્ડરો મૂકતો હતો ત્યાં બીજું કોઈ ટેન્ડરો મૂકતું ન હતું. આ જ કારણ હતું કે તે દિવસ-રાત કમાતો રહ્યો. આ પૈસાથી તે ગુનાની દુનિયા ચલાવતો રહ્યો અને મોટી ગેંગ બનાવી લીધી.

અતીક અહેમદ: ડર એટલો કે તેની વિરુદ્ધ ચૂંટણી પણ લડતા ડરતા હતા નેતાઓ

વર્ષ 1979ની વાત છે. અલ્લાહાબાદ (હવે પ્રયાગરાજ)ના ચકિયાનો રહેવાસી એક છોકરો 10મા ધોરણમાં નાપાસ થઈ ગયો હતો. પિતા ફિરોઝ ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ બધા વચ્ચે 17 વર્ષનો અતીક અહેમદ ગુંડાઓની સંગતમાં પડી ગયો હતો. ત્યારે તેને જલદીથી અમીર બનવું હોય છે. આના જ કારણે તે લૂંટ, અપહરણ અને છેડતી કરવી વગેરે ક્રાઇમ કરવા લાગ્યો હતો. તે જ વર્ષે અતીક પર હત્યાનો કેસ દાખલ થયો હતો.

તે સમયે અલ્લાહાબાદમાં જૂની સિટીમાં ચાંદ બાબાનો ડર રહેતો હતો. પોલીસ અને રાજકારણીઓ ચાંદ બાબાથી પરેશાન રહેતા હતા. તેવામાં અતીક અહેમદને બન્નેનો સાથ મળ્યો હતો. 7 વર્ષોમાં તો અતીક ચાંદ બાબાથી પણ વધુ ખતરનાક થઈ ગયો હતો. લૂંટ, અપહરણ અને હત્યા જેવી ખતરનાક ઘટનાઓને સતત અંજામ આપતો હતો.

જે પોલીસ તેને સાચવતી હતી, તેના માટે જ તે હવે કાંટો બની ગયો હતો.

1986માં પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે, અતીક તેની શક્તિનો ઉપયોગ કરે છે અને તે સમયે અલ્લાહાબાદના કોંગ્રેસી નેતાનો સંપર્ક કરે છે. નેતાજીની દિલ્હી સુધી પહોંચ હતી. કામ થઈ ગયું, દિલ્હીથી ફોન આવ્યો અને અતીક જેલની બહાર હતો.

ગુનાની દુનિયામાં અતીક મોટું નામ બની ગયું હતું. વર્ષ 1989માં રાજનીતિમાં ઝંપલાવીને શહેરની પશ્ચિમી સીટથી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તે વખતે તેનો મુકાબલો તેના કટ્ટર-હરીફ એવા ચાંદ બાબા સાથે થયો હતો. તેવામાં ગેંગવોર તો થવાની જ હતી.

આમાં પણ અતીકે બાજી મારી દીધી હતી અને પોતાની ધાકના કારણે ચૂંટણી જીતી ગયો હતો. થોડા દિવસો પછી ધોળા દિવસે શહેરમાં ચાંદ બાબાની હત્યા થઈ હતી. પછી તો આખા પૂર્વાંચલમાં અતીકના નામની બોલબાલા થવા લાગી હતી.

વર્ષ 1991 અને 1993માં પણ અતીક બિનહરીફ રીતે ચૂંટણી જીતી ગયો હતો. વર્ષ 1995માં લખનઉના ચર્ચિત ગેસ્ટહાઉસ કાંડમાં પણ અતીકનું નામ સામે આવ્યું હતું. વર્ષ 1996માં સપાની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યો હતો. વર્ષ 1999માં અપના દળની ટિકિટથી પ્રતાપગઢથી ચૂંટણી લડ્યો હતો અને હારી ગયો હતો. પછી 2002માં પોતાની જૂની સીટ અલ્લાહાબાદ પશ્ચિમ સીટથી પાંચમી વખત ધારાસભ્ય બન્યો હતો.

ઘણી ખતરનાક ઘટનાઓને અંજામ આપ્યા પછી અતીકનો ખૌફ વધતો જતો હતો. તેનો એટલો ડર વધી ગયો હતો કે અલ્લાહબાદ શહેરની પશ્ચિમ સીટ પરથી કોઈપણ નેતા ચૂંટણી લડવા તૈયાર નહોતો થતો. પાર્ટીઓ ટિકિટ આપતા, તો પણ નેતા પરત આપી દેતા હતા. વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં અતીક અહેમદે સપાની ટિકિટ પરથી UPની ફૂલપુર સીટથી ચૂંટણી જીતી હતી. તે વખતે અતીક અલ્લાહબાદ પશ્ચિમ સીટ પરથી ધારાસભ્ય હતો.

સાંસદ બનવા પર તેણે ધારાસભ્યનું પદ છોડવું પડ્યું હતું. પેટાચૂંટણી થઈ હતી. સપાએ અતીકના નાનાભાઈ અશરફને ઉમેદવાર જાહેર કર્યો હતો. આ વચ્ચે જ અતીકનો જમણો હાથ ગણાતા રાજુ પાલે બસપાની ટિકિટથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ઓક્ટોબર 2004માં રાજુ પાલે ચૂંટણી જીતી લીધી હતી. પહેલીવાર અતીકને પોતાના જ વિસ્તારમાં ટક્કર મળી હતી. હવે વાત પ્રતિષ્ઠાની હતી.

ધારાસભ્ય બન્યાના 3 મહિના પછી 15 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલે પૂજા પાલ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના ઠીક 10 દિવસ પછી એટલે કે 25 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા પાછળ અતીક અહેમદ અને અશરફનું નામ સામે આવ્યું હતું.

વર્ષ 2005માં ધારાસભ્ય રાજુ પાલની હત્યા પછી અતીક અહેમદનો ખરાબ સમય શરૂ થઈ ગયો હતો. વર્ષ 2007માં UPની સત્તામાં પરિવર્તન આવ્યું. માયાવતી મુખ્યમંત્રી બની ગઈ હતી. સત્તા જતી રહ્યા પછી તરત જ સપાએ અતીકને પાર્ટીમાંથી બહાર કરી દીધો હતો. CM બનતા જ માયાવતીએ ઓપરેશન અતીક શરૂ કરી દીધું હતું. 20 હજારનું ઈનામ રાખીને અતીકને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો.

અતીક અહેમદ પર 100થી વધુ કેસા હોવાના કારણે તેના રાજકરણની કરિયર પર પૂર્વવિરામ મુકાઈ ગયું હતું. 2012ની UP વિધાનસભાની ચૂંટણી વખતે પણ અતીક અહેમદ જેલમાં જ હતો. વર્ષ 2012માં તેણે ચૂંટણી લડવા માટે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે 10 જજે તેની આ સુનાવણીમાંથી પોતાને જ અલગ કરી દીધા હતા. 11મા જજે સુનાવણી કરી અને અતીક અહેમદને જામીન મળી ગયા હતા.

ચૂંટણીમાં અતીકની હાર થઈ હતી. તેને રાજુ પાલની પત્ની પૂજા પાલે હાર આપી હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર શ્રાવસ્તી સીટથી ચૂંટણી લડી હતી, પણ BJPના દદ્દન મિશ્રા સામે હાર મળી હતી.

આ પછી 2019ની લોકસભાની ચૂંટણી જેલમાંથી જ લડી હતી. આ ચૂંટણી તેણે નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીથી લડી હતી અને ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.