તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાયકલિંગ ચલાવવા પ્રત્યે લોકો અવેર થાય તે હેતુથી નિકોલ, વસ્ત્રાલ વિસ્તારના ત્રણ મિત્રોએ 800 કિમી સાયકલિંગ કર્યું હતું. અશોક પાટિલ, શૈલેષ પટેલ અને જિતેન્દ્ર પટેલે અમદાવાદથી સોમનાથ સુધી સાયકલ ચલાવી હતી. ગુજરાત સાયકલિંગ ક્લબના હેલ્થ ઈન્ડિયાના મેસેજ સાથે આ રાઈડ યોજવામાં આવી હતી.
આ અંગે ગુજરાત સાયકલિંગ ક્લબના ફાઉન્ડર ચેરમેન અશોક પાટિલે કહ્યું કે, અમે 6 દિવસમાં આ સાયકલ યાત્રા પુરી કરી હતી. દિવસમાં 120થી 130 કિ.મી. સાયકલ ચલાવી હતી. અમે આ પહેલા અમદાવાદથી દિલ્હી સાયકલ યાત્રા કરી છે એ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ અમે હેલ્ધી અને ફિટ રહેવાના મેસેજ સાથે સાયકલ ચલાવી છે. જો કે,પહેલીવાર આ રીતે સૌરાષ્ટ્રમાં આટલા કિ.મી. દૂર સાયકલ યાત્રા કરી હતી. મારી 53 વર્ષની ઉંમર છે જ્યારે મારા બે સાથીઓની ઉંમર 45 વર્ષથી વધુ છે. આ દરમિયાન અમે જુદા-જુદા સૌરાષ્ટ્રના તીર્થસ્થળોની પણ મુલાકાત લીધી હતી. કોરોના મહામારીથી બચવા માટે હેલ્થ પર ધ્યાન આપવું જરૂરી છે જેથી રસ્તામાં લોકોને અમે આ મેસેજ પણ આપ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.