હોળી-ઘૂળેટી માટે 108 સ્ટેન્ડબાય:તહેવારોમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થવાની શક્યતા, 24*7 ઈમરજન્સી સેવા કાર્યરત રહેશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે. નાના મોટા અકસ્માત અને મારામારી જેવા બનાવોને ધ્યાનમાં રાખી અને 108 ઈમરજન્સી સેવા દ્વારા એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અકસ્માતો અને બનાવની સંખ્યા બપોરે 1 વાગ્યા બાદથી લઈને મોડી રાત સુધી થતી હોય છે. 108 ઇમરજન્સી સેવા સતત 24 કલાક કાર્યરત છે.

હોળી 3924- ઘૂળેટી 4773 ઈમરજન્સી કેસ
108ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અંદાજ અનુસાર ઇમરજન્સીમાં હોળીના દિવસે 8.31 ટકા અને ધૂળેટીના દિવસે 31.74 ટકા વધારો થવાની શક્યતા છે. જે અનુક્રમે 3924 અને 4773 ઈમરજન્સી હશે. હોળી અને ધૂળેટીએ મુખ્યત્વે વાહન અકસ્માતમાં અનુક્રમે 51.75 ટકા (EMs-692) અને 99.12 ટકા (EMs–908) તથા અન્ય ટ્રોમા ઈમરજન્સીમાં 50.66 (EMs – 506) અને 156.85 ટકા (EMs -863) વધારો થવાની સંભાવના છે.

ગયા વર્ષે 11 જિલ્લામાં અકસ્માતની સંખ્યા વધારે હતી
અન્ય ટ્રોમા ઈમરજન્સીમાં મુખ્યત્વે પડી જવાની તથા શારીરિક હુમલાની ઇજાઓ વધવાને કારણે વધારો થશે. જ્યારે વાહન અકસ્માતમાં ટુ વ્હીલર વાહનોના અકસ્માતોમાં વધારો જોવા મળશે. ગત વર્ષના અંદાજ મુજબ અરવલ્લી, ભરૂચ, ભાવનગર , છોટાઉદેપુર , દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સુરત અને વલસાડ જિલ્લાઓમાં અકસ્માતની સંખ્યામાં વધારો થાય તેવી સંભાવના છે.

ગયા વર્ષના તહેવારોમાં ઇમરજન્સી કેસોનું એનાલિસિસ
108 પર આવતા ઇમરજન્સી કૉલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા 108 એમ્બ્યુલન્સોને મૂકવામાં આવે છે. તેમનું સ્થાન ઈમરજન્સીની પેટર્ન અને છેલ્લા 3થી 4 વર્ષના તહેવારોની ઇમરજન્સી કેસોની સંખ્યા વગેરેના વિશ્લેષણો પર આધારિત હોય છે. આ વર્ષે હોળી તહેવારમાં વધારો થનાર ઈમરજન્સી કેસને અને મીની વેકેશનને કારણે લોકોની અવરજવર વધશે. તેથી રોડ ટ્રાફિક અકસ્માતના કેસો વધશે અને અન્ય ઇજાના કેસો જેમ કે પડી જવા, શારીરિક હુમલાના કેસમાં પણ વધારો થશે. હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારાને પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારમાં રજા ના લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે.

હોળી-ઘૂળેટીના તહેવારમાં શું-શું કરવું જોઈએ?

  • સનગ્લાસ તમારી આંખોને રંગોના હાનિકારક રસાયણોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
  • કોઈપણ કટોકટીના કિસ્સામાં - 108 પર કોલ કરો (મેડિકલ / પોલીસ / ફાયર).
  • સ્વચ્છ પાણી અને સારા રંગોનો ઉપયોગ કરો
  • હોળી રમતી વખતે બાળકોની દેખરેખ રાખો
  • હોળી રમતી વખતે આંખો અને હોઠને ચુસ્તપણે બંધ રાખીએ જેથી રંગો આંખો કે મોંઢામાં ના જાય.
  • હોળી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત અને સલામત રહો, ફૂગ્ગા કે રંગોના અનિશ્ચિત હુમલાથી પોતાને બચાવો, હેલ્મેટ પહેરો.
  • મુસાફરી કરતી વખતે, તમારી પાસે AC કાર ન હોય તો પણ કારની બારીઓ સારી રીતે બંધ રાખો.
  • જો તમે શેરીઓમાં નીકળો તો ટોળાના ઉન્માદિત જૂથ સાથે રહેશો નહીં. બહેતર છે કે તમે સુરક્ષિત અંતરે રહો.

હોળી-ઘૂળેટીના તહેવારમાં શું-શું ન કરવું જોઈએ?

  • અસ્વચ્છ પાણીવાળા સ્ટોલમાંથી ખોરાક/મીઠાઈ ન ખાવી
  • ચહેરા/આંખો/કાન તરફ નિર્દેશિત પાણી/ફૂગ્ગા ફેંકશો નહીં
  • તમારા બાળકોને ઈંડા, કાદવ કે ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખો. ઉજવણીની આવી અશુદ્ધ રીતો તરફ ક્યારેય આંખ આડા કાન ન કરો.
  • ભાંગ પીધા પછી વાહન ચલાવવું નહીં
  • હોળીના દિવસે બહાર એકલા નીકળવું ટાળવું, કારણ કે, અસમાજિક તત્વો દ્વારા પજવણી થઈ શકે છે
  • હોળી અંગત મિત્રો અને પરિવારજનોએ સાથે માણો અને અજાણ્યા લોકો સાથે ઉજવણી ટાળવી
  • ભીનાશ વાળી અને લપસણી જગ્યા એ ચાલવાનું ટાળવું
  • ભીના હાથે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવું
અન્ય સમાચારો પણ છે...