ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 9થી 12ની સ્કૂલોની દ્વિતીય પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી યોજાવવાની હતી. પરંતુ 27 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હોવાથી પરીક્ષાની તારીખ બદલીને 27 જાન્યુઆરીની જગ્યાએ 28 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. 6 ફેબ્રુઆરી સુધી પ્રિલીમરી પરીક્ષા ચાલશે.
ગુજરાત બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરીએ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરશે. દેશભરમાંથી 1200 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાશે. આ સાથે વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું જીવન પ્રસારણ પણ કરવામાં આવશે. ધોરણ 6 અને તેનાથી ઉપરના વર્ગના તમામ વિદ્યાર્થીઓને તમામ સ્કૂલોએ આ કાર્યક્રમ ટીવી અથવા રેડિયોના માધ્યમથી બતાવવાના રહેશે. જે અંગે ગુજરાત બોર્ડ દ્વારા પરિપત્ર પણ કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોને જાણ કરાઈ
ધોરણ 9થી 12ની સ્કૂલની બીજી પ્રિલીમ પરીક્ષા 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી યોજાવવાની હતી. પરંતુ 27 જાન્યુઆરીએ વડાપ્રધાનનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હોવાથી આ પરીક્ષાનું આયોજન 28થી 6 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને તમામ સ્કૂલોને આ અંગે જાણ પણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.