તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોટીવયના લોકોને કોરોનામાંથી મુક્ત થવામાં ઘણો લાંબો સમય લાગતો હોય છે. પરંતુ, એસજીવીપી હોસ્પિટલમાં કોરોનાથી ફેફસાંના ગંભીર ઇન્ફેકશન સાથે દાખલ થયેલા અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલાં 99 વર્ષના વૃદ્ધ 7 દિવસની સારવાર બાદ સ્વસ્થ થયા છે. દર્દીના સગાંએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા અને હોસ્પિટલ દ્વારા તાત્કાલિક દર્દીને ફેફસાના ગંભીર ઇન્ફેકશનને આધારે દરરોજ 7 લિટર ઓક્સિજન અને 5 દિવસ રેમેડેસીવીર આપી હતી.
એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલના એમ.ડી. ફિઝિશિયન ડો. ચિરાગ જોષી અને ડો. સૌમિલ સંઘવી ઇન્ટેન્સિવ કેર સ્પેશ્યાલિસ્ટ જણાવે છે કે, 99 વર્ષ અને 10 મહિનાની વય ધરાવતા તેમજ નવાવાડજમાં રહેતા નટવરલાલને 1 નવેમ્બરે કોરોનાનો ચેપ લાગ્યો હતો. 6 દિવસ હોમ આઇસોલેશનમાં રહ્યા હતા, પણ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં 7 નવેમ્બરે હોસ્પિટલમાં એએમસી ક્વોટામાં દાખલ કરાયા હતા. દર્દીની હિસ્ટ્રી લેતા જણાયું હતું કે, તેમને પહેલાથી જ ફેફસાની તકલીફ હતી, તેવામાં કોરોના થતા ફેફસાંમાં ગંભીર ઇન્ફેકશન થયું હતું. દર્દીની તબિયત એટલી ખરાબ હતી કે, તે જાતે પથારીમાંથી ઉઠી શકતા ન હતા. દર્દીની તબિયમાં સુધારો લાવવા રોજ 7 લિટર ઓક્સિજનની સાથે 5 દિવસ સુધી રેમેડેસિવીર આપવામાં આવી હતી. માત્ર 7 દિવસમાં તેમની હાલતમાં સુધારો થતાં 13 નવેમ્બરે રજા આપવામાં આવી હતી.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.