ભારત સરકાર દ્વારા દર 3 વર્ષે સમગ્ર દેશમાં નેશનલ એચિવમેન્ટ સરવે ( NAS)ની પરીક્ષા યોજાય છે. જેમાં ધોરણ 3,5,8 અને 10ના વિદ્યાર્થીઓની ક્ષમતા આઉટક્રમ આધારિત દેશનો સૌથી મોટો સરવે છે. છેલ્લે 2017-18માં સરવે યોજાયો હતો. હવે આ વર્ષે યોજાનારા સરવેમાં અમદાવાદની 206 સ્કૂલોના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.આ સરવેના આધારે શિક્ષકો, સુપરવાઈઝરી સ્ટાફની તાલીમ નિયત થશે. DIET,GCERTની કેપૅસીટી બિલ્ડ કરી શકાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020ને ટ્રેક કરવામાં મદદ થશે.
દિવાળી વેકેશન હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આ વર્ષે દિવાળી વેકેશન દરમિયાન 12 નવેમ્બરે NAS ની પરીક્ષા યોજાશે. દિવાળી વેકેશન હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવશે. 2020માં આ પરીક્ષા યોજાવવાની હતી. પરંતુ કોરોનાને કારણે પરીક્ષા યોજાઈ શકી નહોતી. જેથી આ વર્ષે પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં અમદાવાદની 206 સ્કૂલો પસંદ કરવામાં આવી છે. જેમાં AMC સ્કૂલ બોર્ડ હસ્તકની 25 સ્કૂલો ના 2042 વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે.
કેટેગરી મુજબ સ્કૂલો અને વર્ગોની પસંદગી કરવામાં આવી
આ પરીક્ષા અને સર્વે માટે કેટેગરી મુજબ સ્કૂલો અને વર્ગોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 6064 સ્કૂલોમાં આ સર્વે યોજાશે. ધોરણ 3 માં ભાષા, ગણિત અને પર્યાવરણ, ધોરણ 5માં ભાષા, ગણિત અને પર્યાવરણ, ધોરણ 8માં ભાષા,ગણિત, વિજ્ઞાન, સા.વિજ્ઞાન અને અંગ્રેજીની પરીક્ષા યોજાશે. તથા ધોરણ 10માં પણ મુખ્ય વિષયોની પરીક્ષા યોજાશે.
વિદ્યાર્થીના શિક્ષણની સ્થિતિ જાણી શકાશે
કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણની ગુણવત્તા જાણવા દર ત્રણ વર્ષ સર્વે કરવામાં આવે છે.ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીના શિક્ષણ અંગે શુ ફેરફાર થયો તે પણ જાણી શકાશે અને તેના પરિણામ આધારે ભવિષ્યમાં બાળકો માટે નવી શિક્ષણ નીતિ ઘડવાનો માર્ગ મોકળો બનશે. વિદ્યાર્થીઓ તેમજ શાળાઓની પણ શિક્ષણ અંગેની શું સ્થિતિ છે તે જાણી શકાશે. આ સરવે અને પરીક્ષાથી જે તે રાજય અને જિલ્લામાં વિષય વાર વિદ્યાર્થીઓનું પર્ફોમન્સ જાણી શકાશે. આ સરવેના આધારે શિક્ષકો, સુપરવાઈઝરી સ્ટાફની તાલીમ નિયત થશે. DIET,GCERTની કેપૅસીટી બિલ્ડ કરી શકાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020ને ટ્રેક કરવામાં મદદ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.