અમદાવાદથી સુરત આવતી જતી એસટી બસો બંધ કરવામાં આવી છે. સુરતમાં વધેલા કેસોને ધ્યાનમાં રાખી લોકો અમદાવાદ આવી રહ્યા છે ત્યારે લોકોના સ્વાસ્થ્યની સલામતીના કારણે બંધ કરવામાં આવી છે. સુરતથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું શહેર પ્રવેશ પહેલા સ્કેનિંગ કરવામાં આવે છે. સાથે જ થોડા દિવસથી ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ બંધ કર્યું છે. ખાનગી વાહનો અને પીકઅપ વાહનોના મુસાફરોનું અમદાવાદ એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પર કોરોના માટે ટેસ્ટિંગ પણ ચાલુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.